ભારતમાં માનવ તસ્કરીનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. એમાંય બાળ તસ્કરી તો જાણે સાવ સામાન્ય વાત બની ગઈ છે. ત્યારે ગુજરાત પોલીસ અને કેટલીક સામાજીક સંસ્થાઓને આ દૂષણને નાથવામાં સફળતા મળી છે અને 32 જેટલા બાળકોને બચાવી લેવાયા છે.
કાલુપૂર રેલવે સ્ટેશન પર 32 બાળકોનુ કરાયુ રેસ્ક્યું
બાતમીના આધારે પોલીસનુ સર્ચ ઓપરેશન
બિહારથી અમદાવાદ આવતી ટ્રેનમાં કરાયુ સર્ચ
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી 32 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પોલીસને માહિતી મળી હતી. બાળકોને મજૂરી માટે અમદાવાદ લવાઇ રહ્યા છે. ત્યારે માહિતીના આધારે પોલીસે બિહારથી અમદાવાદ આવતી ટ્રેનમાં સર્ચ કર્યું. આ દરમિયાન પોલીસે 32 બાળકોનું રેસ્ક્યૂ કર્યું છે. અને બાળકોને કોણ લઇને આવી રહ્યું હતું. અને ક્યાં લઇ જવામાં આવી રહ્યા હતા સહિતના મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
બિહારથી લવાયા બાળકો
બિહારથી 15થી 17 વર્ષના બાળકોને અમદાવાદમાં લાવવામાં આવી રહ્યા હતા. તમામ બાળકોને ટ્રેન મારફતે અમદાવાદ લવાયા હોવાની બાતમી મળી હતી જેને આધારે કેટલીક સ્વૈચ્છિક સેવાઓ આપતી સંસ્થાઓની મદદથી પોલીસ દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરાયો છે.
એનજીઓ અને પોલીસ ક્રાઇમે આજે વહેલી સવારે આ ઓપરેશન પાર પાડ્યું
અઝીમાબાદ એક્સપ્રેસમાંથી 32 બાળકોને હાલ મુક્ત કરાવાયા છે. બચપન બચાઓ આંદોલન એનજીઓ અને પોલીસ આજે વહેલી સવારે આ ઓપરેશન પાર પાડ્યું છે. અઝીમાબદ એક્સપ્રેસમાંથી આજે વહેલી સવારે 4.30 વાગે 32 સગીર બાળકો મુક્ત કર્યા છે.