મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમથી રાજ્યપાલની છબીને થયેલ નુકસાનને લઇને કેન્દ્ર સરકાર હવે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની બીજા રાજ્યમાં નિમણૂંક કરી શકે છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે રાજસ્થાનના કલરાજ મિશ્ર ભગત સિંહ કોશ્યારીની જગ્યા લઇ શકે છે.
કલરાજ મિશ્ર બની શકે છે મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ
વિપક્ષના હલ્લા બોલ બાદ રાજ્ય સરકાર લઇ શકે છે નિર્ણય
ભગત સિંહ કોશ્યારીની બીજા રાજ્યમાં કરી શકે છે બદલી
કલરાજ મિશ્રને હિમાચલ પ્રદેશથી ટ્રાન્સફર કરીને 9 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા ભગત સિંહ કોશ્યારી પર કોંગ્રેસે હાલના રાજકીય ઘટનાક્રમ બાદ સવાલ ઉઠાવ્યાં છે.
કોંગ્રેસ પક્ષના પ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે રાજ્યપાલએ બંધારણ, નિયમ, કાયદો, મિસાલ અને પરંપરાઓની બિલકુલ પરવાહ કરી નથી.
ઉલ્લેખનીય છે છેલ્લા થોડા દિવસોમાં મહારાષ્ટ્રમાં ચાલેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને લઇને વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયત્ન કરવામાં આવ્યાં. રાજયપાલ દ્વારા મુખ્યમંત્રી તરીકે ફડણવીસને રાતોરાત્ર શપથ અપાવ્યાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આમ છેલ્લા થોડા દિવસના ઘટનાક્રમને જોતા કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે ફેરફાર કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.