કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી આરિફ મોહમ્મદ ખાનને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આરિફ મોહમ્મદ ખાન સહિત 5 રાજ્યોપાલની નિમણૂક પર મુહર લગાઇ છે.
આરિફ મોહમ્મદ ખાન કેરળના રાજ્યપાલ નિયુક્ત
ટ્રિપલ તલાક પર મોદી સરકારનું કર્યું હતું સમર્થન
શાહબાનો કેસ દરમિયાન રાજીવ સરકારમાંથી આપ્યું હતું રાજીનામું
પૂર્વ પીએમ રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી રહેલા દિગ્ગજ નેતા આરિફ મોહમ્મદ ખાનને નરેન્દ્ર મોદી સરકારે કેરળના રાજ્યપાલ નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આરિફ મોહમ્મદ ખાન સહિત 5 રાજ્યપાલોની નિયુક્તિઓ પર મુહર લગાવી છે. રાષ્ટ્રપતિ ભવનથી જારી નિવેદન પ્રમાણે વર્તમાનમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કલરાજ મિશ્રની બદલી રાજસ્થાન કરી દેવામાં આવી છે. કલરાજ મિશ્ર હવે રાજસ્થાનના રાજ્યપાલ હશે.
વરિષ્ઠ ભાજપ નેતા અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ ભગત સિંહ કોશ્યારીને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપ નેતા બંડારુ દત્તાત્રેયને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તમિલાનાડુના બીજેપી નેતા ડૉ તમિલિસાઇ સુંદરરાજનને તેલંગણાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
Kalraj Mishra, Governor of Himachal is transferred & appointed as Governor of Rajasthan. Bhagat Singh Koshyari appointed as Governor of Maharashtra, Bandaru Dattatreya as Governor of Himachal, Arif Mohammed Khan as Guv of Kerala, Tamilisai Soundararajan as Governor of Telangana pic.twitter.com/oKOe8xUOOz
જણાવી દઇએ કે આરિફ મોહમ્મદ ખાનને ટ્રિપલ તલાકને ગેરકાયદે જાહેર કરવામાં નરેન્દ્ર મોદીના નિર્ણયનું સમર્થન કર્યું હતું. આટલું જ નહીં આરિફ મોહમ્મદ ખાન જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ કરવાને લઇને પણ કેન્દ્ર સરકારના નિર્ણયમાં સમર્થન આપ્યું હતું.
આરિફ મોહમ્મદ ખાન 80ના દશકમાં કોંગ્રેસના મોટા નેતા તરીકે જાણીતા હતા. 1984માં રાજીવ સરકારમાં આરિફ મોહમ્મદ ખાન કેન્દ્રીય મંત્રી હતા. 1984માં શાહબાનો કેસમાં જ્યારે રાજીવ ગાંધીની સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંસદ દ્વારા કાયદો બનાવીને પલટી નાંખ્યો હતો તો એમને સરકારના આ નિર્ણયના વિરોધમાં કેન્દ્રીય મંત્રી પદખી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેઓ લાંબા સમયથી રાજકારણથી દૂર હતા.
આરિફ મોહમ્મદ ખાન લગભગ બે મહિના પહેલા એક વખત ફરીથી ચર્ચામાં ત્યારે આવ્યા, જ્યારે 25 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા આરિફ મોહમ્મદ ખાનનો ઉલ્લેખ કર્યો હતો અને મુસ્લિમ સમાજની સામાજિક સ્થિતિને લઇને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો.