વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. મોદી કેબિનેટ દ્વારા ઉત્તર પ્રદેશના અમેઠી પાસે પિસ્તોલ બનાવાની ફેકટરી લગાવામાં આવશે.
જેમાં ભારત સરકારે રશિયા સાથે એક સમજૂતિ કરાર કર્યા છે. જેના હેઠળ હવે કલશનિકોવ રાઇફલ ભારતમાં બનાવામાં આવશે.
કેન્દ્ર સરકારે 7 લાખ 50 હજાર એસોલ્ટ રાઇફલને કોરવાની ઓર્ડિનેન્સ ફેકટરીમાં રશિયા સાથે મળીને સંયુક્ત ઉપક્રમ પરિયોજનાને મંજૂરી આપી દીધી છે. કોરવા ફેકટરી અમેઠી લોકસભા હેઠળ આવે છે જ્યાંથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાંસદ છે.
એક મળતાં અહેવાલ મુજબ એકે-103 રાઇફલ માટે સરકાર દ્વારા 15 ફેબ્રુઆરીએ હસ્તાક્ષર કરવામાં આવી શકે છે. એકે-103 એકે-47 રાઇફલની નવી આવૃત્તિ છે.
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ આ યોજનાનું ઉધ્ધાટન કરે તેવી શક્યતા છે. જ્યારે ભારત અને રશિયા વચ્ચે આ સમજૂતિ પર આ મહીનાના અંત સુધીમાં હસ્તાક્ષર થવાની સંભાવના છે. હસ્તાક્ષર બાદ આ ડીલની કિંમત તેમજ સમયમર્યાદા તેમજ અન્ય જરૂરી જાણકારી સામે આવશે.
ઉલ્લેખનીય છે કે AK-47ની ખાસિયત એ છે કે તેને પાણીની અંદરથી પણ ફાયરિંગ કરી શકાય છે. રશિયા હથિયાર બનાવામાં એક્સપર્ટ છે. અમેઠી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સંસદીય ક્ષેત્ર છે. આ ફેકટરી મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવામાં આવી રહી છે.