પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ કોરોના વિરૂદ્ધ જંગમાં સામે આવે અને સ્વેચ્છાએ મદદ કરે. આના મા ટેપીએમ મોદીએ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને એકાઉન્ટ ડીટેલ્સની માહિતી આપવામાં આવી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ દાન કરવાની અપીલ કરાઇ છે. મુખ્યમંત્રી રાહત નીધિ ફંડમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે. ત્યારે રાજ્યના કલાકારો, કથાકારો અને મંદિરો દ્વારા દાન કરાયું છે.
રાજ્ય સરકાર દ્વારા પણ દાન કરવાની અપીલ કરાઇ
રાજ્યના કલાકારો, કથાકારો અને મંદિરો દ્વારા દાન કરાયું
કલાકારો સહિત અનેક લોકોએ આ રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપ્યો
કોરોના વાયરસને કારણે નાના મોટા તમામ ઉદ્યોગો અને ધંધાઓને મોટો ફટકો પડ્યો છે. સૌથી વધુ ફટકો ગરીબોને પડ્યો છે ત્યારે આ લોકોની મદદ માટે ઘણાં લોકો આગળ આવ્યા છે. કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં દાન કરવા અપીલ કરાઇ છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ દાતાઓ, સંસ્થાઓ, કલાકારો સહિત અનેક લોકોએ આ રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપ્યો છે.
લોકગાયક કીર્તિદાન ગઢવીએ 11 લાખનું દાન કર્યું
લોકગાયક કીર્તિદાન ગઢવીએ કોરોના સામેની લડત માટે 11 લાખનું દાન કર્યું છે...એક બાદ એક ગુજરાતી સાહિત્યકાર સરકારની મદદ કરવા આગળ આવી રહ્યા છે.. કિર્તીદાન ગઢવીએ 11 લાખની સહાય કરી અને તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી છે કે તેઓ સરકારના આદેશનું પાલન કરે અને ઘરમાં જ રહે તેવી અપીલ પણ કરી છે....
હાસ્ય કલાકાર હકાભા ગઢવી પોતાના બેંક ખાતામાં રહેલી તમામ રકમ દાનમાં આપશે
હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કોરોનાની મહામારી સામે લડવા મોટી જાહેરાત કરી છે. તેમણે પોતાની બેંકમાં રહેલા રૂપિયામાંથી 50 હજાર રાખીને તમામ રકમ દાન કરવાની જાહેરાત કરી છે. તેમના ત્રણ ખાતામાં જેટલી રકમ છે તે તમામ દાન કરી દેવાની જાહેરાત કરી છે. ઘરની જરૂરિયાત માટે 50 હજાર રાખીને અન્ય રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે.
લોકસાહિત્ય કલાકાર માયા આહિરે કર્યું 1 લાખ દાન
માંગલ ધામ ચેરીટ્રેબલ ટ્રસ્ટ ભગુડા વતી માયાભાઇ આહિરે અને રામાભાઇ કામળિયાએ 11 લાખનું દાન કર્યું છે. આ સાથે માયા આહિરે પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં 1,11,111 રૂપિયાનું દાન કર્યું છે.
કોરોના વાયરસને લઇને કથાકારોએ પણ કર્યું દાન
કોરોના વાયરસના ગંભીર સંકટ સામે આજે વિશ્વ લડી રહ્યું છે. ભારત દેશ પણ આ સંકટનો સામનો કરી રહ્યો છે. દેશને આવી પડેલી આફતમાંથી ઉગારવા માટે અનેક લોકો મદદ આવી રહ્યા છે. જાણિતા કથાકાર મોરારીબાપુના એક શ્રોતાએ મોટું દાન જાહેર કર્યું છે. કોરોના વાયરસને લઈ રૂપિયા એક કરોડનું દાન કરાયું છે. પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપ્યું છે. મોરારીબાપુના આ ઉમદા કામને લઈ ચારે બાજુ તેમની પ્રશંસા થઈ રહી છે. બીજી તરફ મુખ્યમંત્રી રાહતનિધિમાં ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી જીગ્નેશદાદા દ્વારા રૂપિયા 5,55,000 આપવામાં આવ્યા છે.
ગુજરાતના મોટા મંદિરોએ કર્યું કરોડો રૂપિયાનું દાન
સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પણ રૂપિયા 1 કરોડ એક લાખનું દાન કરવામાં આવ્યું છે. આ રકમ મુખ્યમંત્રી રીલીફ ફંડમાં દાન કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા ક્લેક્ટર સંદિપ સાગલે આ રકમનો ચેક આપ્યો હતો. આ રીતે અંબાજી મંદિર ટ્રસ્ટે મહામારી સામે લડવા માટે પોતાનું આર્થિક યોગદાન આપ્યું છે. બગદાણાના બજરંગદાસ બાપાનાં ગુરૂઆશ્રમ દ્વારા 21 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. જ્યારે ભગુડા માંગલ ધામ દ્વારા 11 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. ત્યારે ભુજના સ્વામિનારાયણ મંદિરે સામાજિક જવાબદારી નિભાવી છે. મંદિર દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં 51 લાખ આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અપીલ, આ એકાઉન્ટ દ્વારા તમે પણ કરી શકશો દાન.
The PM-CARES Fund accepts micro-donations too. It will strengthen disaster management capacities and encourage research on protecting citizens.
Let us leave no stone unturned to make India healthier and more prosperous for our future generations. pic.twitter.com/BVm7q19R52