હાસ્ય કલાકાર હકાભા ગઢવીની મોટી જાહેરાત કરી છે. તેમણે પોતાના બેંક ખાતામાં રહેલ તમામ રકમ દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. કોરોના સામેની લડતમાં તમામ રકમ દાનમાં આપશે. મહત્વનું છે કે હકાભા ગઢવીએ 200થી વધારે પ્રોગ્રામ કર્યા છે. ત્યારે તેમણે વીટીવીને કહ્યું કે, સમાજ પાસેથી પૈસા લીધા અને સમાજને આપી દીધા છે.
હકાભા ગઢવીની જાહેરાત
બેંકમાં રહેલી પોતાની રકમનું કરશે દાન
50 રાખી તમામ રૂપિયાનું દાન
હાસ્ય કલાકાર હકાભા ગઢવી પોતાના ત્રણ બેંક ખાતામાં રહેલ તમામ રકમ દાનમાં આપશે. ઘરની જરૂરિયાત માટે માત્ર 50 હજાર રૂપિયા તેઓ રાખશે. અન્ય સેલિબ્રિટી માટે હકાભા ગઢવીનો પ્રેરણાદાયી નિર્ણય છે.
તેમણે પોતે એક વીડિયો શેર કરીને કહ્યું કે, જય ભારત, પ્રધાનમંત્રીએ કોરોનાને નાથવા જે કામ હાથમાં લીધું છે ત્યારે હું આજે 28 તારીખે જાહેરાત કરું છું કે મારા 2થી 3 ખાતા છે તેમાં જે પૈસા છે તે તમામ પૈસા ભારત સરકારને આપવા માંગુ છું. અત્યાર સુધીમાં મેં 50 હજાર રૂપિયા ઉપાડ્યા છે. વધુ ઉપાડ્યાં નથી. લોનના હપ્તા બાકી છે તે પછી ભરી દઇશ. જ્યાં સુધી ભારત દેશમાં બધા જીવે છે તો બધુ હશે. તો લાખોની સંખ્યામાં પૈસા ખાતામાં છે તે તમામ પૈસા આપવા તૈયાર છું. ઘરની જરૂરિયાત માટે 50 હજાર રૂપિયા રાખ્યા છે. કોરોનાથી લડવા માટે ભારતનો નાગરિક અને કલાકાર પણ છું. આજે મને સારું કામ કરવાનો મોકો મળ્યો છે તો હું આજે સારુ કામ કરવા માંગુ છું. જય ભારત.
હાસ્ય કલાકાર હકાભા ગઢવીની મોટી જાહેરાત કરી છે. પોતાના બેંક ખાતામાં રહેલ તમામ રકમ દાનમાં આપશે. કોરોના સામેની લડતમાં તમામ રકમ દાનમાં આપશે, ઘરની જરૂરિયાત માટે માત્ર 50 હજાર રૂપિયા રાખશે. અન્ય સેલિબ્રિટી માટે હકાભા ગઢવીનો પ્રેરણાદાયી નિર્ણય. pic.twitter.com/9hmOR7OZEJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 28, 2020
મહત્વનું છે કે, હાલ કલાકારો કોરોનાની સામે લડત માટે જોડાયા છે. ગીતા રબારીએ ઘરે રહેવા માટે અપીલ કરી છે, તો કીર્તિદાન ગઢવીએ અનોખી પહેલ કરીને ઓનલાઇન ડાયરો શરૂ કર્યો છે. 9:30 કલાકે ડાયરાની મોજ કરાવે છે. તો માયા આહીર પણ જરૂરિયાત મંદોને ભોજનની વ્યવસ્થા કરાવે છે.