કોરોના વાયરસના વધતાં પ્રકોપને કારણે દેશભરમાં 17 મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. ત્યારે આ દરમિયાન બધાં જ લોકો ઘરમાં કેદ છે. બોલિવૂડ સેલેબ્સ પણ પરિવાર સાથે પોતાનો સમય વિતાવી રહ્યાં છે. સાથે જ લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. ત્યારે હાલમાં જ એક્ટ્રેસ કાજોલે પણ #AskKajol હેશટેગ દ્વારા તેના ફોલોઅર્સના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેણે કેટલાક મજેદાર ખુલાસા પણ કર્યા.
લોકડાઉનને કારણે સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ થઈ ગયા છે
ત્યારે એક્ટ્રેસ કાજોલે પણ #AskKajol હેશટેગ દ્વારા પ્રશ્નોના જવાબ આપ્યા
ફોલોઅર્સે કાજોલને પૂછ્યા અજીબ સવાલ
કાજોલ હાલ ટ્વિટર પર વધુ એક્ટિવ થઈ ગઈ છે. આ દરમિયાન કાજોલે ટ્વિટર પર #AskKajol હેશટેગ દ્વારા ફેન્સને સવાલ પૂછવાનું કહ્યું. ત્યારે કેટલાક ફેન્સે ફની તો કેટલાકે અજીબોગરીબ પ્રશ્નો પૂછ્યા. જેમાંથી એક યુઝરે અજય દેવગનને લઈને સવાલ પૂછ્યો કે, લોકડાઉનમાં કેટલીવાર અજય દેવગને તેમના માટે કૂકિંગ કર્યું. તો જવાબમાં કાજોલે કહ્યું, મૈં અજયને ઘણીવાર કૂકિંગ કરવાનું કહ્યું પરંતુ તે આજ સુધી કિચનમાં આવ્યો નથી.
I keep telling Ajay to cook for me but so far he hasn’t been inspired to go into the kitchen! ;) https://t.co/wscOeeaF7K
કાજોલના આ ફની જવાબ પર લોકો જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. બધાંને કાજોલનો આ અંદાજ ખૂબ જ પસંદ આવ્યો છે. જ્યારે એક યુઝરે તેને પૂછ્યું- તમે લોકડાઉનમાં એવું શું કરી રહ્યાં છો, જે લોકડાઉન પૂરું થયા બાદ પણ ચાલુ રાખશો. તો કાજોલે કહ્યું- કંઈ ખાસ અલગ નથી, પણ હાં, જ્યારે લોકડાઉન ખતમ થશે તો હું મારી નિકટના લોકો સાથે સમય પસાર કરીશ.
ઉલ્લેખનીય છે કે, કાજોલે એક કલાક સુધી ફેન્સના સવાલોના જવાબ આપ્યા. તમને જણાવી દઈએ કે કાજોલ પણ પતિ અને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. તે પરિવાર સાથેની અવારનવાર તસવીરો શેર કરતી રહે છે.