કાજોલ બોલિવૂડની એવી એક્ટ્રેસમાંથી એક છે કહે છે જે તેના દિલમાં છે. તેના ફેન્સને તેની આ વાત ખૂબ જ પસંદ છે. પરંતુ હાલમાં જ કાજોલે પહેલી વખત ખુલાસો કર્યો કે, તેણે તેના અને અજયના લગ્નને લઈને એક મોટું જૂઠ કહ્યું હતું. એટલું જ નહીં કાજોલે તેના સીક્રેટ લગ્નથી જોડાયેલ કેટલીક વાતો પણ શેર કરી છે.
કાજોલ અને અજય 11 વર્ષ બાદ સાથે જોવા મળશે
કાજોલ તેના રિલેશનને લઈને જણાવ્યા સીક્રેટ્સ
કાજોલે મીડિયાને લગ્નનું ખોટું એડ્રેસ આપ્યું હતું
એ સમયમાં કાજોલ અને અજયના લગ્ન બહુ જ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ તે અંગે વધુ ડિટેલ્સ સામે આવી શકી નહોતી. હવે 11 વર્ષ બાદ કાજોલ અને અજય તેમની અપકમિંગ ફિલ્મ તાનાજીમાં સાથે જોવા મળશે. જેથી આ ફિલ્મની રિલીઝ પહેલાં કાજોલે તેના લગ્નજીવન અંગેના કેટલાક રહસ્યો જણાવ્યા છે.
સોશિયલ મીડિયા પર પોતાની લવ સ્ટોરી અંગે એક પોસ્ટ શેર કરતાં કાજોલે લખ્યું, ' અમે 25 વર્ષ પહેલાં હલચલના સેટ પર મળ્યા હતા. હું સૂટ માટે તૈયાર હતી અને મેં મારા હીરો વિશે પૂછ્યું. ત્યારે કોઈએ મને ઈશારો કરીને કહ્યું ત્યાં કોર્નરમાં બેઠો છે. મેં 10 મિનિટ પહેલાં તેના વિશે ગોસિપ કરી હતી. પછી અમે સેટ પર વાતો કરવાનું શરૂ કર્યું અને અમે મિત્રો બની ગયા.
એટલું જ નહીં, કાજોલ એ સમયે બીજાને ડેટ કરી રહી હતી અને અજય દેવગણ પણ બીજાને ડેટ કરી રહ્યો હતો. કાજોલ તેના બોયફ્રેન્ડની વાતો અજયને જણાવતી હતી. પછી મારું અને અજયનું અમારા પાર્ટનર સાથે બ્રેકઅપ થઈ ગયું. અમે બંનેએ ક્યારેય એકબીજાને પ્રપોઝ નહોતા કર્યા, કારણ કે અમે જાણતા હતા કે અમે સાથે છીએ. પછી અમે હાથમાં હાથ નાખી ફરવા લાગ્યા, ડિનર અને ડ્રાઈવ્સ પર જવા લાગ્યા. મારા મિત્રોએ મને અજયને લઈને ચેતી હતી પણ તેનો વ્યવહાર મારી સાથે એકદમ અલગ હતો, હું બસ એટલું જાણતી હતી.
જોકે, અજય અને કાજોલની લવ સ્ટોરીમાં પરેશાનીઓ પણ આવી હતી. કાજોલ તેના લગ્ન સીક્રેટ રાખવા માગતી હતી, જેથી તેણે તેના લગ્નનું વેન્યૂ મીડિયાને ખોટું બતાવ્યું હતું. કાજોલે આગળ લખ્યું, અમે 4 વર્ષ રિલેશનમાં હતા. અજયના પેરેન્ટ્સ આ રિલેશન માટે તૈયાર હતા પણ મારા પિતાને આ રિલેશન મંજૂર નહોતો. તેમણે ચાર દિવસ સુધી મારી સાથે વાત નહોતી કરી, તેઓ ઈચ્છતા હતા કે હું મારા કરિયર પર ફોકસ કરું. જોકે, પછી તેઓ માની ગયા. અમે ઘરમાં લગ્ન કર્યા હતા પણ મીડિયાને ખોટું એડ્રેસ આપ્યું હતું. અમે પંજાબી અને મરાઠી રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. અજય લગ્નને ફટાફટ ખતમ કરવા માગતો હતો અને તેના માટે તેણે પંડિતને પૈસા પણ આપવાની કોશિશ કરી હતી.
વધુમાં કાજોલે કહ્યું, અમે લગ્ન બાદ લાંબા હનીમૂન પર ગયા હતા, પણ અજયની તબિયત ખરાબ થતા અમે પર આવ્યા હતા. કભી ખુશી કભી ગમ દરમિયાન કાજોલ પ્રેગ્નેન્ટ હતી. પણ તેનો મિસકેરેજ થઈ ગયો. કાજોલનો બેવાર મિસકેરેજ થયો અને પછી તે ન્યાસા અને યુગની મા બની. કાજોલે કહ્યું, અમે બહુ રોમેન્ટિક નથી પણ એકબીજાનું ધ્યાન રાખીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, કાજોલે 1999માં અજય સાથે લગ્ન કર્યા હતા. તેઓ 2008માં ફિલ્મ યૂ મી ઔર હમમાં સાથે જોવા મળ્યા હતા. હવે આ જોડા તાનાજીમાં સાથે જોવા મળશે. આ અજયની 100મી ફિલ્મ છે.