કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વાર અમિત શાહ યુપીના કૈરાનામાં પહોંચ્યાં અને ત્યાં પલાયનવાળા વિસ્તારોમાં ઘેર ઘેર જઈને લોકો સાથે વાતચીત કરી રહ્યાં છે.
ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વાર અમિત શાહ કૈરાના પહોંચ્યાં
ઘેર ઘેર જઈને પ્રચાર શરુ કર્યો
ગૃહમંત્રી અમિત શાહ કૈરાનામાં ઘેર ઘેર પહોંચીને પ્રચાર અભિયાન શરુ કર્યું છે. તેઓ કૈરાનાની સાંકડી ગલીઓમાં જઈને લોકોને ભાજપને મત આપવાની અપીલ કરી રહ્યાં છે, તેઓ લોકોને પ્રચાર સામગ્રી પણ આપી રહ્યાં છે. તેમની સાથે કૈરાના ભાજપ સાંસદ હુકૂમસિંહની પુત્રી મુગાંકા સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતા.
ઘેર ઘેર પ્રચાર શરુ કર્યો અમિત શાહે
કૈરાના પહોંચ્યા બાદ અમિત શાહે ઘેર ઘેર જઈને પ્રચાર શરુ કર્યો હતો, તેઓ સાંકળી ગલીઓમાંથી પણ પસાર થતા દેખાયા હતા, લોકોએ પણ તેમને ખૂબ જોશથી વધાવી લીધા હતા.
આ તબક્કે અમિત શાહે કહ્યું કે 2014 પછી પહેલીવાર કૈરાના આવ્યો છું, આજની અહિયાની પરિસ્થિતિને જોઈને હૃદયને શાંતિ મળે છે.
અમિત શાહ શનિવારે પશ્ચિમ યૂપીના કૈરાના જિલ્લાનો પ્રવાસ કરશે. ચૂંટણીના 19 દિવસ પહેલા અમિત શાહ શામલી જિલ્લાના કૈરાના વિધાનસભા સીટથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરવા થઈ રહ્યા છે. કૈરાના એજ જગ્યા છે જ્યાંના પલાયનના સમાચારને લીધે ચર્ચામાં છે. આજે હેલીકોપ્ટરથી કૈરાના પહોંચી પીડિતોને મળશે.
શાહ બાગપત અને શામલી પાર્ટી પદાધિકારીઓ સાથે બેઠક કરશે
ડોર ટુ ડોર કાર્યક્રમના માધ્યમથી અમિત શાહ પીડિતો સાથે સંવાદ કરશે. બાદમાં શાહ બાગપત અને શામલી પાર્ટી પદાધિકારીઓ સાથે બેઠક કરશે. અને તે કૈરાનાથી ચૂંટણી અભિયાનની શરુઆત કરશે. હકિકતમાં 2017ની ચૂંટણીમાં કૈરાનાથી હિંદુઓના પલાયનનો મોટો મુદ્દો બન્યો હતો. 2016માં ભાજપના તત્કાલીન સાંસદ હુકુમ સિંહે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
કૈરાના સીટથી ભાજપે મૃગાંકા સિંહને આપી ટિકીટ
આરોપ લાગ્યા હતા કે મુસલમાનોના વધતા આતંકના કારણથી કૈરાનાથી હિંદુ પોતાના ઘર વેચવા માટે મજબૂર થયા હતા. ભાજપના નેતા હુકુમ સિંહે લિસ્ટ જારી કરી કૈરાનાથી હિંદુઓના પલાયનના મુદ્દો બનાવ્યો હતો. આ બાદ ભાજપે ગત ચૂંટણીમાં આ મુદ્દો બનાવ્યો હતો અને ભાજપે પૂર્વ સાંસદ હુકુમ સિંહની દીકરી મૃગાંકા સિંહને મૈદાનમાં ઉતાર્યા હતા. જોકે તે હારી ગઈ હતી.
કૈરાનામાં મુસ્લિમની વસ્તી હિંદુથી ચાર ગણાથી પણ વધારે
હવે આને કૈરાનાની જરુરિયાત કહીએ કે રાજકીય પરંતુ તસવીર બદલાયેલી જોવા મળી રહી છે. 5 વર્ષ પહેલા કૈરાનાથી હિંદુઓના પલાયન ચૂંટણી મુદ્દો બનાવ્યો. પરંતુ આ વખતે 22 માં કૈરાનાના લોગો કહી રહ્યા છે કે તેમણે ગુંડા, ગુનેગારોથી મુક્તિ મળી છે. પરંતુ આ વખતે મૃગાંકા માટે શનિવારે ચૂંટણી પ્રચાર અમિત શાહ કરશે. આ માટે કૈરાના તેમનું સ્વાગત કરવા તૈયાર છે. કૈરાનામાં મુસ્લિમની વસ્તી હિંદુથી ચાર ગણાથી પણ વધારે છે. તેમ છતાં ચૂંટણીમાં જીતનું અંતર માત્ર 10 ટકાની નજીક હતુ. ભાજપનો પ્રયાસ છે કે આ ચૂંટણીમાં આ અંતરને ઘટાડી દેવામાં આવે.