શ્રાવણ મહિનાના સોમવારે હિંદુ શ્રદ્ધાળુઓએ કૈલાસ-માનસરોવરના કિનારે હવન-પૂજન કરતાં ચીને વિરોધ કર્યો છે. ચીને જણાવ્યું કે આ અમારો વિસ્તાર છે અને તેથી યાત્રાળુઓએ નિયમોનું પાલન કરવું જોઇએ.
કૈલાસ પર્વત ચીનના તિબેટ વિસ્તારમાં આવેલ છે. આ દરમિયાન અલી પ્રિફેકચરના ડેપ્યુુટી કમિશનર શી કિંગમીને જણાવ્યું છે કે ભારતીય તીર્થયાત્રીઓ અમારા વિસ્તારમાં આવે છે અને તેથી તેમણે અમારા કાયદા અને નિયમોનું પાલન કરવું જોઇએ. જો અમે ભારત જઇશું તો અમે પણ ત્યાંના નિયમોનું પાલન કરીશું.
શી કિંગમીને વધુમાં જણાવ્યું છે કે ચીનમાં કૈલાસ-માનસરોવર આવતા ભારતીય યાત્રીઓની સુવિધાઓનું અમે સંપૂર્ણ ધ્યાન રાખીએ છીએ. ભારત સરકારે પણ પોતાની બાજુના વિસ્તારમાં યાત્રીઓની સુવિધા માટે ઇન્ફ્રાસ્ટ્રકચરને બહેતર બનાવવું જોઇએ. અમને આશા છે કે ભારત સરકાર પોતાની બાજુના વિસ્તારના રસ્તાઓ સુધારશે.
કૈલાસ-માનસરોવરના યાત્રીઓને ઉત્તરાખંડના લીપુલેખથી આવતાં ચાર-પાંચ દિવસ લાગે છે. તેની પાછળ ભારે સમય અને ઊર્જાનો વ્યય થાય છે. અલી-પ્રિફેકચરની સરકાર કૈલાસ-માનસરોવરના યાત્રીઓની સુવિધા અને સુરક્ષાનું દરેક રીતે ધ્યાન રાખે છે. દરમિયાન ગઇ કાલે શ્રાવણના સોમવારે કૈલાસ-માનસરોવરના યાત્રાળુઓએ કૈલાસ-માનસરોવરના કિનારે હવન કરતાં ચીને વિરોધ કર્યો છે.
Kailash Mansarovar pilgrims, today, performed a 'hawan' on the last Monday of 'sawan' month at Mansarovar Lake. pic.twitter.com/cCxl6dXZsm
યાત્રાળુઓની બેચના સંપર્ક અધિકારી સુરિન્દર ગ્રોવરે જણાવ્યું હતું કે અમારો જથ્થો ૩૦ જુલાઇએ દિલ્હીથી રવાના થયો હતો. અમે કૈલાસની પરિક્રમા પૂરી કરી હતી ત્યારબાદ માનસરોવરના કિનારે યજ્ઞ કર્યો હતો.