દુનિયા સૌથી ઉંચા શિવધામ કૈલાસ માનસરોવરની યાત્રા આજથી શરૂ થઇ રહી છે. પુરાણો મુજબ કૈલાસ માનસરોવર ભગવાન શિવનું સ્થાયી નિવાસ સ્થાન હોવાથી આ સ્થાનને 12 જ્યોતિર્લિંગમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. દર વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ઘાળુઓ દર્શન કરવા માટે પહોંચે છે જાણો માનસરોવરને લગતી કેટલીક રોચક વાતો...
મૃદંગનો અવાજ આવે છે:
કહેવામાં આવે છે કે ગરમીના દિવસોમાં જ્યારે માનસરોવરની બરફ પીગળે છે ત્યારે આ પ્રકારની અવાજ સતત સંભળાય છે. શ્રદ્ઘાળુઓનું માનવું છે કે આ અવાજ મૃદંગની છે. માન્યતા એ પણ છે જો કોઇ વ્યકિત માનસરોવરમાં એક વાર ડૂબકી લગાવવાથી ‘રૂદ્રલોક’ પ્રાપ્ત થાય છે.
શક્તિપીઠનાં થાય છે દર્શન:
આ સ્થળની ગણતરી દેવીના 51 શક્તિપીઠોમાં પણ થાય છે. માનવામાં આવે છે કે દેવી સતીનો ડાબો હાથ આ જગ્યાએ જ પડ્યો હતો જેનાથી આ નદી તૈયાર થઈ. જેનાથી અહીં આવેલી એક શિલાને દેવીનું રૂપ માનીને પૂજવામાં આવે છે.
ॐનો અવાજ સંભળાય છે:
માન્યતા અનુસાર માનસરોવર અને રાક્ષસ નદી સૂર્ય અને ચંદ્રને પ્રદર્શિત કરે છે. જેનો સીધો જ સંબંધ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાની સાથે છે. જ્યારે તમને આને દક્ષિણની તરફથી જુઓ છો ત્યારે સ્વસ્તિકનું ચિહ્ન બનેલું દેખાય છે આ અલૌકિક જગ્યા પર પ્રકાશની તરંગો અને ધ્વનિના તરંગોનું સમાગન થાય છે તેમાંથી ઉત્પન્ન થતો અવાજ ॐ જેવો સંભળાય છે.
તમે આ અનુભૂતિ કરી શકશો:
માનસરોવરની કેટલીય ખાસ વાત તમારી આસપાસ થતી રહે છે જેની અનુભૂતિ તમે કરી શકો છો. નદી 320 કિમીના ક્ષેત્રમાં ફેલાયેલી છે. આ નદીની આસપાસ સવારે 2.30થી 3.45 વાગ્યાની વચ્ચે આ અલૌકિક ક્રિયાઓની અનુભૂતિ કરી શકાય છે પણ તેને જોઈ નથી શકાતી.
ગંગામાં જાય છે પાણી:
માન્યતા અનુસાર આ સરોવરના જળનો આંતરિક સ્ત્રોતના માધ્યમથી ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જાય છે. પુરાણો મુજબ શંકર ભગવાન દ્વારા પ્રકટ કરેલા જળના વેગથી જે નદી બની એનું નામ માનસરોવર પડ્યું.
‘ક્ષીર સાગર’ સાથે સંબંધ:
માનસરોવરના પહાડોમાંથી આવતી રસ્તામાં એક નદી છે પુરાણોમાં આ નદીનો ઉલ્લેખ ‘ક્ષીર સાગર’ સાથે કરવામાં આવ્યો છે. કૈલાસથી ‘ક્ષીર સાગર’40 કિમી દૂર છે. ધાર્મિક આસ્થા છે કે અહીં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શેષ નાગ પર બિરાજમાન છે.