બોલીવૂડ સિંગર કૈલાશ ખેર આજે ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે. આ મુલાકાત મહત્વની હોઇ શકે છે.
કૈલાશ ખેર જેપી નડ્ડાને મળશે
બીજેપીમાં સામેલ થવાની સંભાવના
એક સમયે આવતા હતા આત્મહત્યાના વિચાર
કૈલાશ ખેરની મળવાની ખબરોથી ચર્ચા વધી છે કે સિંગર બીજેપીમાં જોડાશે. કૈલાશ ખેરને ઘણીવાર બીજેપીના પક્ષમાં વાતો કરતા આપણે સાંભળ્યા છે. ઉત્તર પ્રદેશમાં બનનારી ફિલ્મ સિટીની વાત હોય કે પછી અન્ય કોઇ વાત હોય. કૈલાશ ખેર હંમેશાથી બીજેપીની તરફેણમાં બોલતા દેખાયા છે
CM યોગી સાથે મુલાકાત
કૈલાશ ખેરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી અને તેમણે કહ્યું કે મે જે પણ સજેશન આપ્યા તેને લઇને તે ખુબ ખુશ થયા હતા.
કૈલાશ ખેરે તેરી દિવાની અને અલ્લાહ કે બંદે જેવા હિટ્સ આપીને ફેન્સનું દિલ જીતી લીધુ હતુ. બાદમાં તેણે ઘણુ સ્ટ્રગલ પણ કર્યુ હતુ. આજે કૈલાશ ખેર બોલીવૂડના હિટ ગાયકોમાંથી એક છે.
આપઘાતના આવતા હતા વિચાર
કૈલાશ ખેરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, કરિયરમાં ખુબ સ્ટ્રગલ કર્યુ છે. મને લાગ્યુ હતુ કે હું આ સ્ટ્રગલ સહન નહી કરી શકુ કારણકે હું ઘરેથી ભાગીને આવ્યો હતો અને અહીં કોઇ કામ નહોતુ મળી રહ્યું.
કૈલાશે સ્વીકાર્યુ હતુ કે પોતાનું જીવન પતાવવાનો વિચાર ખોટો હતો. તમે સર્વાઇવ કરો છો અને પૈસા પણ કમાઓ છો. ભગવાનની કૃપાથી મે ભૂખ્યુ રહેવું પસંદ કર્યુ પણ કોઇ ખોટુ પગલુ ન ઉપાડ્યુ હતુ. મુંબઇ આવ્યા પહેલાથી મે અસલ જીવનને જોયુ છે.
કૈલાશે કહ્યું કે મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં રાજનીતિ થાય છે. એક સમય એવો હતો કે બીજા સિંગર ફેવરિટ હતા અને મને સાઇડલાઇન કરી દેવામાં આવ્યો હતો. મને માથુ દુઃખવા લાગતુ હતુ અને સપના બતાવીને તોડી દેવામાં આવતા હતા.