રાજકોટના ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પૂર્ણ થઈ છે અને સમાજના અગ્રણીઓ દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ત્યારે નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.
કાગવડ ખોડલધામ ખાતે પાટીદાર અગ્રણીઓની બેઠક પૂર્ણ
હવે લેઉવા-કડવા નહી હવે પાટીદાર લખાશેઃ નરેશ પટેલ
દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવશેઃ નરેશ પટેલ
કાગવડ ધામ ખાતે લેઉવા અને કડવા પટેલ અગ્રણીઓની બેઠક બાદ ચેરમેને જણાવ્યું કે, આજની બેઠકમાં મહત્વની ચર્ચા કરાઈ છે. ખાસ કરીને સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેવી રીતે મળે તે અંગે મંથન કરવામાં આવ્યું હતું. સાથે જ પાટીદાર સમાજના વિકાસ અંગે પણ ચર્ચા કરાઈ હોવાની વાત નરેશ પટેલે કરી હતી.
હવેથી લેઉવા-કડવા નહી હવે પાટીદાર લખાશે: નરેશ પટેલ
તો આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવશે અને હવેથી લેઉવા-કડવા નહી હવે પાટીદાર લખાશે. તો નરેશ પટેલે તાજેતરમાં જ રાજ્યમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને લઈને પણ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરીશું. તો જરૂર પડશે તો ચૂંટણીમાં સારા ઉમેદવારને ટેકો આપવાની પણ વાત તેમણે કરી હતી.
પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવાની નરેશ પટેલે કરી વાત
ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠકને લઈને ખોડલધમના ચેમમેન નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે, તેને જોઈને ગુજરાતમાં તેને સ્થાન મળી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોય.
નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે : ભીમજી નાકરાણી
ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર બેઠકમાં પાટીદાર અગ્રણી ભીમજી નાકરાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે કે, નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે. હવે પાટીદારો પાસે કેશુબાપા જેવા મજબૂત નેતા નથી. તો ત્રીજા પક્ષને લઇને પણ ભીમજી નાકરાણીએ ચિંતા વ્યક્ત કરી છે.