ખોડલધામ કાગવડના આંગણે નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને તડામાર તૈયારીઑ ચાલી રહી છે.
કાગવડ ખોડલધામમા નવરાત્રીને લઇને વિશેષ ઉજવણી
રોજે રોજ ચંડી યજ્ઞનું આયોજન
ભકતોમાં આનંદની લાગણી
રાજકોટના કાગવડ ખોડલધામમા માં ખોડલના મંદિરમાં પણ માતાજીના આરાધ્ય પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવાની તમામ તૈયારી કરવામાં આવી છે. ખોડલધામ મંદિરમાં આયોજકો દ્વારા ચંડી યજ્ઞ, ધજાજીનું આરોહણ સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યું છે.
નવરાત્રિમાં ખાસ શણગાર
નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે ઘટ સ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે. ત્યારે આસ્થાનું કેન્દ્ર એવું ખોડલધામ માં પણ નવરાત્રિની રંગેચંગે તૈયારીઓ કરવામાં આવી છે.
ખોડલધામમાં આરાધ્ય પર્વને ઉત્સાહપૂર્વક ઉજવાશે
માતાજીની આરાધનાનું પર્વ એટલે અશો નવરાત્રિ. માતાજીના ભક્તો આ મહિનામાં માતાજીની ખાસ વિશષ્ટ રીતે પૂજન અને અર્ચન કરીને માતાજીની ભક્તિ કરે છે. ત્યારે રાજકોટના કાગવડ ખોડલધામમાં માં ખોડલના મંદિરમાં પણ માતાજીના આ આરાધ્ય પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવાની તમામ તૈયારી કરવામાં આવી છે. ગત વર્ષે કોરોના મહામારીમાં લોકડાઉનને લઈને તમામ મંદિરો બંધ હતા. જેને લઈને અશો નવરાત્રિમાં પણ માતાજીના ભક્તોને સીમિત રીતે અને ઘરે રહીને માતાજીની ભક્તિ કરવી પડી હતી. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા મળેલ છૂટને લઈને માતાજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી છે. ત્યારે ખોડલધામ મંદિરમાં પ્રથમ નોરતાથી જ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
માતાજીને રોજે ધજાજીનું આરોહણ કરવામાં આવશે
ખોડલધામ મંદિરમાં રોજ માતાજીનો ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે અહીં માતાજીને રોજે ધજાજીનું આરોહણ કરવામાં આવશે. ભક્તો સાથે રોજ ત્રિવિધિ કાર્યક્રમો યોજવામાં આવશે. મંદિરમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે તે સાથે ભક્તોમાં પણ અનેરો આંનદ જોવા મળ્યો છે. માતાજીના ભક્તો પણ માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે અને આશીર્વાદ લેવા માટે દૂર દૂર અને ગામે ગામથી શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને માતાજીના દર્શન કરવા માટે આવી પહોંચે છે. અનેક ભક્તો માતાજીના મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.