અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા આતંકવાદી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરતા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કહ્યું કે, આ હુમલો આતંકવાદ અને આતંકવાદીઓને આશ્રયસ્થાન પૂરા પાડવાની વિરુદ્ધ હવે સમગ્ર વિશ્વએ એકત્રિત થવાની જરૂર છે.
ભારતે કાબુલમાં થયેલા આતંકવાદી હુમલાની UNSCમાં કરી નિંદા
આતંકવાદીઓને શરણ આપનારા લોકો વિરુદ્ધ ભેગા થવાની જરૂર
કાબુલના હવાઈમથકમાં 13 અમેરિકન સૈનિકો શહીદ
આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરૂ છું: UNSC
આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓએ કાબુલના હવાઈમથક પર હુમલો કરવામાં આવ્યો. જેમાં ઓછામાં ઓછા 60 અફઘાનિસ્તાનીઓ અને 13 અમેરિકન સૈન્ય શહીદ થયા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને સુરક્ષા પરિષદના અધ્યક્ષ રાજદૂત ટી એસ તિરૂમૂર્તિએ ગુરૂવારે કહ્યું, હું કાબુલમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરુ છું. અમે આ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.
આતંકવાદીઓને શરણ આપનારા વિરુદ્ધ ભેગુ થવુ જરૂરી
ઈથિયોપિયા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પરિષદમાં તિરૂમૂર્તિએ કહ્યું કે, કાબુલમાં થયેલ હુમલો આતંકવાદ અને આતંકવાદીઓને શરણ આપનારા દરેક લોકોની વિરુદ્ધ એકત્રિત થવુ જરૂરી છે. અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત (આઈએસકેપી)એ કાબુલ હવાઈ મથક બહાર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કાબુલમાં થયેલા હુમલામાં મોતને ભેટનારા લોકોનો બદલો લેવાનો સંકલ્પ લીધો છે.