લોકો શનિ ફેક્ટર અને ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો પહેરે છે, પરંતુ એવુ નથી કે તેને પહેરવાથી માત્ર ફાયદો જ થાય. કેટલાંક લોકો એવા હોય છે, જેને કાળો દોરો પહેરવાથી માત્ર નુકસાન થાય છે. આજે અમે જણાવીશુ કાળો દોરો પહેરવાના ફાયદા અને નુકસાન.
આ રાશિના જાતકો ભૂલથી પણ ન બાંધે કાળો દોરો
કાળો દોરો પહેરવાથી નુકસાન પણ થાય છે
જાણો, કાળો દોરો પહેરવાના ફાયદા અને નુકસાન
કાળો દોરો પહેરવાના ફાયદા અને નુકસાન
તમે અવાર-નવાર ઘણા લોકોના ગળા, હાથ અને પગમાં કાળો દોરો બાંધેલો જોયો હશે. આ કાળો દોરો માન્યતા મુજબ લોકો ખરાબ નજર અને શનિ દોષમાંથી બચવા માટે બાંધે છે. જ્યોતિષ શાસ્ત્ર પણ કાળો દોરો પહેરવાને લઇને ઘણા ફાયદા જણાવે છે. લાલ બુક અને જ્યોતિષમાં પણ કાળા દોરાના ઉપાય અને મહત્વ જણાવવામાં આવ્યું છે, પરંતુ એવુ નથી કે તેને પહેરવાથી માત્ર ફાયદો જ થાય. ક્યારેક કાળો દોરો નુકસાન પણ પહોંચાડે છે.
કાળો દોરો પહેરવાના ફાયદા
શનિ ગ્રહનો રંગ કાળો હોય છે. કાળો દોરો પહેરવાથી તમારી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત થશે. આ ઉપરાંત આ તમને નકારાત્મક નજરથી પણ બચાવે છે. કાળો દોરો પહેરવાથી તમે ખરાબ નજરથી બચી જાઓ છો. એટલું જ નહીં, આ શનિ દોષમાંથી પણ મુક્તિ અપાવે છે.
કાળો દોરો પહેરવાના નુકસાન
એકબાજુ કાળો દોરો પહેરવાથી ફાયદો થાય છે, તો અમુક લોકોને આ પહેરવાથી નુકસાન પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃશ્વિક અને મેષ રાશિના જાતકોએ કાળો દોરો ના બાંધવો જોઈએ. વૃશ્વિક રાશિનો સ્વામી મંગળ છે અને મંગળનો રંગ લાલ છે. માનવામાં આવે છે કે મંગળને કાળા રંગથી નફરત છે. તેથી વૃશ્વિક રાશિના જાતકોએ કાળો દોરો બિલ્કુલ પણ ના પહેરવો જોઈએ. આ જ સ્થિતિ મેષ રાશિની છે. જેનો પણ સ્વામી મંગળ છે. જેના કારણે આ રાશિના જાતકોએ પણ કાળો દોરો બાંધવો ના જોઈએ. જ્યોતિષ મુજબ આ રાશિના જાતકોને ધન, માન-સન્માન અને સ્વાસ્થ્યનુ નુકસાન થઇ શકે છે.