આણંદઃ અમૂલ ડેરીના MD કે.રત્નમે રાજીનામુ આપ્યું છે. અમૂલ ડેરીના ડિરેક્ટરોની બેઠકમાં રાજીનામુ આપ્યું છે. કે.રત્નમે ચેરમેનને પત્ર લખ્યો હતો. પત્ર લઇને બોર્ડ ડિરેક્ટરોની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં રાજીનામુ આપ્યું હતું.
બોર્ડના સભ્યોની વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હતો. રામસિંહ પરમાર થોડા સમય અગાઉ અમૂલના ચેરમેન બન્યા હતા. રામસિંહ પરમાર અને MD કે.રત્નમ વચ્ચે કેટલાય સમયથી અણબનાવ હતા. કે રત્નમે રામસિંહ પરમાર પર મનસ્વી વર્તનના આક્ષેપો લગાવ્યા હતા.
મહત્વનું છે કે રામસિંહ પરમાર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. રાજ્યસભાની અહેમદ પટેલની ચૂંટણી સમયે રામસિંહ પરમાર ભાજપમાં જોડાયા હતા. સફળ અમુલ ડેરીને રાજનેતાઓ દ્વારા બદનામ કરવાનો કારસો. કુરીયને કરેલ મહેનત પર રાજનેતાઓ પાણી ફેરવી રહ્યા છે.