લાંચિયા IAS કે.રાજેશના કૌભાંડોનો આંકડો દિવસેને દિવસે છડે ચોક પોકારી રહ્યો છે ત્યારે હવે સુરત તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ પણ કે.રાજેશને ભ્રષ્ટાચારના જનક ગણાવ્યા છે.
આંનદ ચૌધરીના કે.રાજેશ સામે આક્ષેપ
કે.રાજેશ ભ્રષ્ટાચારના જનક:ચૌધરી
બાંધકામ સમિતિના અધ્યક્ષ પર આક્ષેપ
લોકશાહીના ચાર સ્તંભ છે, જેમાં વહીવટી વિભાગ મહત્વનો સ્તંભ છે. જે લોકોની સમસ્યા અને પરેશાનીઓ ઘટાડી તેમનો અને તેમના વિસ્તારનો વિકાસ કરવાની જવાબદારી અદા કરે છે.આ વહીવટી વિભાગમાં કામ કરતા અધિકારીઓ કામ કરવા અને કરાવવા માટે ક્યાંક લાંચ માગે છે તો ક્યાંક મોટી ભેટ સોગાદો. વર્તમાન સમયમાં ગુજરાત સરકારમાં IAS અધિકારી કે. રાજેશ લાંચ લેવાના કેસમાં ઝડપાયા છે, અને તેમની CBIએ અટકાયત પણ કરી છે. નોંધનીય છે કે.રાજેશ પાસેથી આશરે 500 કરોડ જેટલી સંપત્તિ હોવાનો ઉલ્લેખ કરાયો છે. તો અનેક સરકારી જમીનોનો બારોબાર વહીવટ કરવાનો પણ આરોપ લાગ્યો છે.
સુરતના વિપક્ષ નેતાએ લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ
સુરત તાલુકા પંચાયતના વિપક્ષ નેતા આનંદ ચૌધરીએ તત્કાલીન DDO કે.રાજેશ સામે આક્ષેપ કરીને તેમને ભ્રષ્ટાચારના જનક ગણાવ્યા હતા. આંનદ ચૌધરીએ બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિત પટેલ સામે પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પીપરિયા,ખંજરોલી,ઉમરસાડી,કમાંલપોરમાં વિકાસ કામોમાં આ બંન્ને લોકો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ ભ્રષ્ટાચારને લઈને તેમણે માંડવી તાલુકા પંચાયત કચેરી બહાર વિરોધ નોંધાવીને વિજિલન્સ તપાસની માંગ પણ કરી હતી.
રાજકોટ નજીક જમીનનો ખૅલ પાડ્યો હોવાનો પણ અધિકારી પર આક્ષેપ
IAS અધિકારી કે.રાજેશની તપાસનો રેલો રાજકોટ સુધી પહોંચવાની શક્યતા છે. જમીન વિવાદ મામલે રાજકોટ સુધી રેલો પહોંચવાની શક્યતા છે. કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા, તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી, જ્યારે અન્ય 2 GAS કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. જેથી બામણબોરની જમીન મુદે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા છે.
પૂર્વ સાંસદ સોમા પટેલે પણ અધિકારી પર લગાવ્યા છે આક્ષેપ
IAS કે.રાજેશ પર ભાજપના પૂર્વ સાંસદ સોમા પટેલે ગંભીર પ્રકારના આક્ષેપો લગાવ્યા છે. કે. રાજેશ પર આક્ષેપ લગાવતા સોમા પટેલે કહ્યું કે, તેમને કૌભાંડ આચરી બિન ખેડૂતોને પણ ખેડૂત બનાવી દીધા છે.
ખાંડિયા ફોરેસ્ટની 900 વિઘા જમીન 1 રૂપિયાના ટોકનના ભાવે 30 વર્ષના પટ્ટે આપી દીધી છે. આ સિવાય કે. રાજેશ પર PM અને CMના કાર્યક્રમોમાં પણ ખોટા ખર્ચાઓ બતાવ્યા હોવાનો આક્ષેપ મુક્યો છે. સોમા પટેલે આરોપ લગાવતા કહ્યુ હતુ કે, કોઈ પણ PMના કાર્યક્રમનો ખર્ચ 1.5 કરોડથી વધુ ન થાય.
પરંતુ જ્યારે PM મોદીનો હિરાસર એરપોર્ટના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો ત્યારે કે. રાજેશે તે કાર્યક્રમનો ખર્ચ 7.83 કરોડ રૂપિયાનો બતાવ્યો હતો. જ્યારે અમે હિસાબ માગ્યો ત્યારે તેમને એમ કહ્યુ હતુ કે, તે ખર્ચના ડોક્યુમેન્ટ ગુમ થઈ ગયા છે. આ સિવાય પૂર્વ સાંસદે કે. રાજેશ પર સીએમના 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં 1.19 કરોડ રૂપિયાનો ખોટો ખર્ચ બતાવ્યાનો પણ આરોપ મુક્યો હતો.
20 એપ્રિલ 2022એ CBIએ અધિકારીને ત્યાં દરોડા પાડીને કરી હતી અટકાયત
ગુજરાતના IAS અધિકારી કે. રાજેશ વિરુદ્ધ CBIએ કાર્યવાહી કરી છે. CBIએ મોડી રાતથી કે.રાજેશના નિવાસ સ્થાને કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસ સ્થાને પણ કાર્યવાહી કરી છે. CBIએ IAS કે.રાજેશ સામે દિલ્લીમાં ફરિયાદ નોંધી છે. IAS સામે બંદૂકના લાયસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો પણ આરોપ છે. ઉલ્લેખનીય છે કે, IAS અધિકારી કે. રાજેશ સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી વિવાદમાં પણ ફસાયા છે.
મહામંથનમાં જુઓ કટકીબાજ કલેક્ટરની કરમ કુંડળી
કે.રાજેશ સામે આરોપ શું છે
ગુજરાતના સિનિયર IAS પર લાંચ લેવાનો છે આક્ષેપ
બંદૂકના પરવાના માટે અનેક લોકો પાસે લાંચ માગી
પ્રત્યેક અરજદાર પાસે 5 લાખની લાંચ માગી
લાંચની રકમ ચેક પેટે લેતા હોવાનો પણ ખુલાસો
વચેટીયાઓ મારફત મોટા પ્રમાણમાં લાંચ મેળવી હોવાની ચર્ચા
અરજદાર પાસે કપડા ખરીદવા માટે પણ માગ્યા પૈસા
અરજદાર પાસે માલિશના તેલની પણ કરી હતી માગણી
સુરેન્દ્રનગરમાં કલેક્ટરની ફરજ દરમિયાન પણ ગેરરીતિઓ આચરી
જીવણગઢ ગામે ડેરી બનાવવામાં ગેરરીતિ આચરી હોવાનો આરોપ઼
કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન જમીન સોદામાં ભ્રષ્ટાચારનો આરોપ
કે.રાજેશની સામે જે તે સમયે સત્તાના દુરુપયોગની થઇ હતી ફરિયાદ
કે.રાજેશે નિયમોની ઉપરવટ જઇને જિલ્લા પંચાયતમાં ખરીદ સમિતિ બનાવી હતી
કે.રાજેશે રોગી કલ્યાણ સમિતિની ગ્રાંટ સોલાર રૂફટોપમાં વાપરી હતી
SUDAની હદમાં આવતી અનેક જમીનોના પ્રકરણમાં કે.રાજેશનું નામ સામે આવ્યું હતુ
કે.રાજેશ DDO હતા ત્યારે તેમની વિરુદ્ધ તત્કાલ CMને થઇ હતી ફરિયાદ
કોણ છે IAS કે.રાજેશ?
કે.રાજેશ 2011 બેંચના IAS અધિકારી છે
કે.રાજેશ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બજાવે છે ફરજ
કે.રાજેશ સુરતમાં DDO તરીકે ફરજ બજાવી ચુક્યા છે
કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે બજાવી ચુક્યા છે ફરજ
સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે થઇ હતી બદલી
ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ સાઈડ પોસ્ટ કરાયા હતા
સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણીના વિવાદમાં કે.રાજેશ વિવાદમાં આવ્યા હતા