ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી પાંચ મેચની ટી-20 શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવી હતી.
સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ કોરોના સંક્રમિત
આવનાર મેચમાં કદાચ નહિ જોવા મળે રાહુલ
આ વાતની સૌરવ ગાંગુલીએ પોતે માહિતી આપી
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે શુક્રવાર (22 જુલાઇ, 2022) થી ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થશે. પરંતુ તે પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી પાંચ મેચની ટી-20 શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવી હતી અને તેના પુનરાગમનની આશા હતી. પરંતુ હવે કોવિડ પોઝિટિવ આવ્યા બાદ ટીમ ઇન્ડિયામાં તેની વાપસીની રાહ વધુ વધી શકે છે.
Kl Rahul tested positive for #COVID19, confirms BCCI President Sourav Ganguly
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પોતે માહિતી આપી હતી કે કે એલ રાહુલ કોવિડ પોઝિટિવ છે. ગાંગુલીએ એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં આ વાત કહી હતી. નોંધપાત્ર છે કે, આઇપીએલ બાદ રાહુલને સ્નાયુ ખેંચાઈ જવાની સમસ્યા થઈ હતી. આ કારણે તે સાઉથ આફ્રિકા સામેની ઘરઆંગણાની શ્રેણીમાં પણ રમી શક્યો નહતો અને ત્યાર બાદ તે પણ સમગ્ર ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો. આ દરમિયાન તે પોતાની ઈજાની સારવાર માટે જર્મની ગયો હતો અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો અને બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો હતો. થોડા દિવસ પહેલા રાહુલનો દિગ્ગજ મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી સાથે નેટ પ્રેક્ટિસનો વીડિયો પણ વાયરલ થયો હતો અને તે પણ સારી લયમાં જોવા મળ્યો હતો.