સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા કહેવામાં આવ્યું કે સુશાંતે તણાવને કારણે આત્મહત્યા કરી છે તો બીજી તરફ લોકો એવુ પણ કહેવા લાગ્યા કે તેને કેટલાક પ્રોડક્શન હાઉસે બૅન કર્યો હતો માટે તેણે આત્મહત્યા કરી. બાદમાં તેના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યારે સમગ્ર મામલાએ દિશા બદલી હતી.
કેકે સિંઘ રાજપૂત ખુલીને આવ્યા સામે
સુશાંત મુશ્કેલીમાં હતો તે વાતની હતી જાણ
ફેબ્રુઆરી મહિનામાં જ નોંધાવી હતી ફરિયાદ
હાલમાં જ કેકે સિંઘનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કહી રહ્યાં છે કે ફેબ્રુઆરી મહિનામાં જ બાન્દ્રા પોલિસને કહેવામાં આવ્યુ હતુ કે સુશાંત તકલીફમાં છે.
આ વીડિયોમાં કે કે સિંઘ રાજપૂત કહી રહ્યાં છે કે બાન્દ્રા પોલિસ સ્ટેશનમાં સૂચના આપી હતી કે સુશાંત મુશ્કેલીમાં છે અને 25 ફેબ્રુઆરીના રોજ જે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી તેમના વિરુદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન થતા 40 દિવસ બાદ પટનામાં ફરિયાદ નોંધાવી હતી.
#WATCH: #SushantSinghRajput's father in a self-made video says, "On Feb 25, I informed Bandra Police that he's in danger. He died on June 14 & I asked them to act against people named in my Feb 25 complaint. No action taken even 40 days after his death. So I filed FIR in Patna." pic.twitter.com/tnn9XN1XlB
તમને જણાવી દઇએ કે કેકે સિંઘ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ રિયા ચક્રવર્તી ફરાર છે અને તેનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો છે. બિહાર પોલિસ મુંબઇ પહોંચી ત્યારે પણ રિયા ફરાર હતી અને પટનાના એસપીને મુંબઇમાં ક્વોરંટાઇન કરી દેવામાં આવ્યા છે.
14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઇ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. તેની સાથે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પણ લિવ-ઇનમાં રહેતી હતી.