ભાજપમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા એક વાર મધ્યપ્રદેશ આવ્યા છે. મધ્યપ્રદેશ ભાજપના નેતાઓ સાથે મુલાકાત અને રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યા બાદ તેઓ દિલ્હી પરત ફર્યા હતા. સિંધિયાના સમર્થકો અનુસાર તેઓ 1 જૂને જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલ આવી રહ્યા છે.
1 જૂને જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશના ભોપાલ આવી રહ્યા છે
2 દિવસમાં 200થી વધારે કોંગ્રેસ નેતા પાર્ટી છોડીને બીજેપીમાં સામેલ થયા
સિંધિયા સમર્થક પૂર્વ મહેન્દ્ર સિંહ સિસોદિયાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા પુષ્ટી કરી છે કે મહારાજ ભોપાલ આવી રહ્યા છે. સિંધિયાના આવતા પહેલા જ કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગ્યા છે. 2 દિવસમાં 200થી વધારે કોંગ્રેસ નેતા પાર્ટી છોડીને બીજેપીમાં સામેલ થયા છે. પૂર્વ મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાએ દાવો કર્યો છે કે હજુ તો આ શરૂઆત છે.
સિંધિયાની સામે ઘણા મોટો નેતા પાર્ટીમાં સામેલ થશે
સિંધિયાના પ્રવાસ પહેલા ચર્ચા છે કે તેમના આવ્યા બાદ કોંગ્રેસના ઘણા મોટા નેતા ભાજપમાં સામેલ થશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને લઇને ઘણા જિલ્લા અધ્યક્ષ ભાજપમાં સામેલ થઇ શકે છે. સિંધિયાના પ્રવાસ પહેલા કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. કોંગ્રેસે સિંધિયાના પ્રભાવ વાલા વિસ્તારોમાં પાર્ટીના કાર્યવાહકને ભંગ કરી દીધા છે. તેનું કારણ છે કે પાર્ટીમાં તુટ સિંધિયાના પ્રભાવ વાળા વિસ્તારોમાં જ વધારે થશે.
મંત્રિમંડળના વિસ્તારને લઇને હલચલ
જ્યોતિરાદિત્ય સિંધિયાને લઇને બીજી ચર્ચા એ પણ છે કે આ વખતે તે શિવરાજ કેબિનેટના વિસ્તાર દરમિયાન હાજર રહેશે. એવા ક્યાસ લગાવાઇ રહ્યા છે કે શિવરાજ કેબિનેટનો વિસ્તાર થશે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહે સોમવારે પણ રાજ્યપાલ લાલજી ટન્ડન સાથે મુલાકાત કરી છે. દિલ્હીથી નામો પર મુહર લાગ્યા બાદ કેબિનેટ વિસ્તારની તૈયારી શરૂ થઇ જશે. જેમા સિંધિયા જુથના 7થી 8 લોકોને કેબિનેટમાં જગ્યા મળી શકે છે.
ઉપ ચૂટણીમાં ચહેરો કોણ
જ્યારે 24 બેઠકો પર ઉપ ચૂંટણીને લઇને પણ ભાજપમાં હલચલ તેજ થઇ ગઇ છે. પાર્ટીના નેતા સતત રણનીતિ બનાવવામાં લાગ્યા છે. રવિવારે સિંધિયા જુથના પૂર્વ ધારાસભ્યના નિવેદનથી રાજનીતિ ગરમાઇ ગઇ છે. કરેરાના પૂર્વ ધારાસભ્ય જસવંત જાટવે માંગ કરી છે કે ઉપ ચૂંટણીમાં પાર્ટીનો ચહેરો જ્યોતિરાદિત્ય સિંધિયા જ રહે. જોકે, તેમની આ માંગ પર ભાજપની કોઇ પ્રતિક્રિયા આવી નથી.