બ્રેકિંગ ન્યુઝ
VTV / Jyotiraditya Scindia wife has found a place among the beautiful women of the world has a special relationship with Gujarat
Intern
Last Updated: 01:00 PM, 12 March 2020
જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શની સિંધિયા ગુજરાતના વડોદરાના ગાયકવાડ મરાઠાના રાજપરિવાર સાથે સબંધ ધરાવે છે. 12 ડિસેમ્બર 1994માં રાજકુમારી પ્રિયદર્શની અને ગ્વાલિયરના રાજપરિવારના રાજા જ્યોતિરાદિત્ય સિંધિયાના લગ્ન થયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને બે બાળકો છે. મહાઆર્યન સિંધિયા અને અનન્યા સિંધિયા
ADVERTISEMENT
ADVERTISEMENT
1991માં જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શની સિંધિયાની પ્રથમ મુલાકાત એક મિત્રની પાર્ટીમાં થઈ હતી. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પ્રથમ નજરમાં પ્રિયદર્શની પ્રત્યે પ્રેમ થઈ ગયો ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા હાવર્ડ યુનિવર્સીટીમાંથી ભણીને આવ્યા હતા. અંદાજીત ત્રણ વર્ષ સુધી મુલાકાતો થઈ તે બાદ 12 ડિસેમ્બર 1994માં રાજકુમારી પ્રિયદર્શની અને ગ્વાલિયરના રાજપરિવારના રાજા જ્યોતિરાદિત્ય સિંધિયાના લગ્ન થયા હતા.
જ્યોતિરાદિત્ય સિંધિયાની માં માધવી રાજે સિંધિયાએ રાજકુમારી પ્રિયદર્શનીને ગ્વાલિયરના રાજપરિવારની પુત્રવધુ તરીકે પહેલાથી જ પસંદ કરી લીધી હતી. જ્યારે પ્રિયદર્શની 13 વર્ષની હતી ત્યારે જ તેમની મુલાકાત માધવી રાજે સાથે થઈ હતી.
પ્રિયદર્શનીની ગણતરી દેશની સૌથી સુંદર રાજકુમારીમાં થાય છે.અને વર્ષ 2012માં તેમને દુનિયાની સૌથી 50 સુંદર મહિલાઓમાં સ્થાન મળ્યું હતું.
(ફેશન મેગેજીનના સર્વે અનુસાર) દુનિયાની 20 સુંદર શાહી મહિલાઓમાં પ્રિયદર્શની રાજે સિંધિયા પણ સામેલ છે.
ફેમિના મેગેજીન દ્વારા જાહેર કરવામાં આવેલી ભારતની 50 સુંદર મહિલાના લિસ્ટમાં પણ સ્થાન મળ્યું છે.
પ્રિયદર્શની સિંધિયાને બાળપણથી જ ઘોડેસવારીનો શોખ રહ્યો છે. અને તેમની દીકરી અનન્યા સિંધિયાને પણ તેમની ટ્રેનીંગ આપવામાં આવી છે.
અનન્યા સિંધિયાએ 8 વર્ષની ઉંમરમાં જ ઘોડેસવારી શીખવાની શરુ કરી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.