મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના દેવામાફી પર દિગ્વિજયિસંહના ભાઇ પછી હવે ગુનાના પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ સવાલ ઉઠાવ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ માન્યું કે તેમની સરકારે આપેલું ખેડૂતોનું દેવા માફીનું વચન પુરું થયું નથી.
મધ્ય પ્રદેશમાં આંતરિક કલહ ચરમસીમાએ જોવા મળ્યો
ખેડૂતોના દેવા માફીનું વચન રાજ્ય સરકાર ભુલી
દિગ્વિજયસિંહના ભાઇએ રાહુલ ગાંધી પાસે માફીની કરી હતી માગ
જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશ સરકારને આડે હાથ લેતાં કહ્યું કે સરકારે જે દેવા માફીનું વચન આપ્યું હતું તે હજુ પુર થયું નથી. ખેડૂતોનું માત્ર 50 હજાર રૂપિયાનું દેવુ માફ થયું છે જ્યારે આપણે 2 લાખ રૂપિયા સુધીના દેવામાફીનું વચન આપ્યું હતું. આમ સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફની દિશામાં કામ કરવું જોઇએ.
દિગ્વિજયસિંહના ભાઇએ રાહુલ ગાંધી પાસે માફીની કરી હતી માગ
આ અગાઉ ગત મહિને એમપીના વરિષ્ઠ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહના ભાઇ અને કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણસિંહે પોતાની સરકાર પર નિશાન સાંધતા કહ્યું હતું કે ખેડૂતોના દેવા માફીનું વચન પુરુ થઇ શક્યું નથી. લક્ષ્મણસિંહે તો એટલે સુધી કહ્યું હતું કે આ માટે રાહુલ ગાંધીએ ખેડૂતોની માફી માગવી જોઇએ અને દેવા માફી માટે આટલો સમય કેમ લાગ્યો તે અંગે જણાવવું જોઇએ.
કોંગ્રેસમાં સ્વ નિરીક્ષણની જરૂરિયાતઃ સિંધિયા
કોંગ્રેસની અંદર ચાલી રહેલા આંતરિક વિગ્રહ વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે કોંગ્રેસને હવે સ્વ નિરીક્ષણ કરવાની જરૂરિયા છે, આજે પાર્ટીમાં જે સ્થિતિ છે તેમાં સુધાર કરવા સમયની માગ છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ દ્વારા કોંગ્રેસ પાર્ટીની ખરાબ સ્થિત પર પૂછવામાં આવેલા સવાલમાં પહેલાં તો સિંધિયાએ જણાવ્યું હતું કે તેઓ કોઇપણના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં નથી. જો કે થોડા સમય બાદ સિંધિયાએ કહ્યું કે આ સાચી વાત છે કે કોંગ્રેસને આત્મ અવલોકન કરવાની જરૂરિયાત છે.
Jyotiraditya Scindia, Congress, in Bhind, MP: The farm loan waiver of farmers has not been done in totality. Loan of only Rs 50,000 has been waived off even when we had said that loan upto Rs 2 Lakh will be waived off. Farm loan upto Rs 2 Lakh should be waived off. (10.10.2019) pic.twitter.com/6zMW5AyDBu