કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલ જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક ધારાસભ્યો બેંગલુરુંથી પાછા આવી રહ્યા છે ત્યાં બીજી તરફ મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ પાસે જઈ 6 મંત્રીઓને પદથી હટાવવાની અરજી કરી હતી જેને રાજ્યપાલ લાલજી ટંડને મંજૂર કરી છે.
ભોપાલ પાછા આવી રહ્યાં છે સિંધિયા સમર્થક ધારાસભ્યો
કમલનાથની અરજી પર રાજ્યપાલે 6 મંત્રીઓને પદથી હટાવ્યા
ધારાસભ્યો એરપોર્ટ પહોંચે તે પહેલાં કલમ 144 લાગુ
કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલા બળવાખોર ધારાસભ્યોને પાછા બોલાવવાની પણ અરજી કરી છે. આ ધારાસભ્યો ભોપાલ આવી પહોંચે તે પહેલાં મુખ્યમંત્રીએ રાજ્યાપાલ સાથે મુલાકાત કરીને નવો દાવ રમ્યો છે. નોંધનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ભાજપમાં સામેલ થયા બાદથી કમલનાથની સત્તા ડામાડોળ થઇ હતી.
આ બધા જ ધારાસભ્યો જ્યોતિરાદિત્ય સિંધિયાની તરફેણમાં વોટીંગ કરશે. એવામાં કમલનાથની અરજી પર રાજ્યપાલે ઈમરતી દેવી, તુલસી સીલાવટ, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમ્ન સિંહ સિસોદિયા, પ્રભુરામ ચૌધરીને મંત્રી પદથી હટાવી દીધા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાનાં સમર્થનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા 19 ધારાસભ્યો બેંગલુરુથી પાછા આવી રહ્યા છે. આ ધારાસભ્યોમાં એક સમયમાં કમલનાથની સરકારમાં મંત્રી રહેલા 6 નેતા પણ છે.
ધારાસભ્યો ભોપાલ પહોંચે તે પહેલાં જ ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. જયારે બીજી તરફ કોંગ્રેસ હજુ પણ આ ધારાસભ્યોને મનાવવા માટે પૂરતા પ્રયત્નો કરવાની તૈયારીમાં છે. બંને પાર્ટીનાં કાર્યકર્તાઓ એરપોર્ટની બહાર ભેગા થવા લાગ્યા હોવાથી કલમ 144 લાગુ કરી દેવાની નોબત આવી છે. આ બધા જ બળવાખોર ધારાસભ્યો જ્યોતિરાદિત્ય સિંધિયાને જીતાડવા માટે વોટીંગ કરશે. આ જ ધારાસભ્યોએ કમલનાથ સરકારની ખુરશી હલાવી નાખી છે.