મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા બેઠકો માટે થઇ રહેલી પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ હાથ છોડીને ભાજપમાં જોડાનારા જ્યોતિરાદિત્ય સિંધિયા ધડાધડ રેલીઓ કરી રહ્યા છે. ત્યારે સિંધિયાએ કોંગ્રેસને આડેહાથ લીધી છે. સિંધિયાએ કહ્યું કે, ભાજપ મારૂ જૂનું ઘર છે અને કોંગ્રેસને તેના કામનો 3 નવેમ્બરે જવાબ મળી જશે.
મધ્યપ્રદેશમાં વિધાનસભા બેઠકો માટે થઇ રહી છે પેટાચૂંટણી
જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ પર આકરા પ્રહાર
સિંધિયાએ કહ્યું કે, ભાજપ મારૂ જૂનું ઘર છે
આ રેલીઓમાં તેઓ કોંગ્રેસ વિરૂદ્ધ ખુલીને નિવેદનો આપી રહ્યા છે. આ વચ્ચે તેમણે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ભાજપમાં પોતાની ભૂમિકા અને કોંગ્રેસને લઇને ખુલીને વાત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ અને ભાજપમાં અંતર જણાવ્યું. તેમણે કહ્યું કે, ભાજપમાં ક્ષમતાના આધાર પર વ્યક્તિને અવસર આપવામાં આવે છે. અનુશાસનના આધાર પર પાર્ટીના કાર્યકર્તા, પાર્ટીના ઝંડાના આધાર પર કાર્ય કરે છે. હું પોતાનું સૌભાગ્ય સમજું છું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અમારા અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં, ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં મને જન સેવા કરવાનો અવસર મળ્યો છે.
ભાજપ મારા માટે જૂનું ઘર
ભાજપમાં કેવી રીતે સંપીને બેસો છો? આ સવાલના જવાબમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ભાજપ એક રીતે મારૂં જૂનું ઘર પણ છે કારણ કે પાર્ટી મારા દાદી સ્વર્ગયી રાજમાતા વિજયારાજે સિંધિયા દ્વારા એક રીતે સ્થાપિત કરવામાં આવી હતી. મારા પૂજ્ય પિતાજીની શરૂઆત જનસંઘમાં થઇ હતી તો આ પ્રકારે ઘણા બધા જૂના સંબંધ પણ છે, તો જરૂર નવા ઘરમાં આવ્યો છું, પરંતુ સંબંધ જૂનો છે. આ સિવાય નવા સંબંધ હજુ બની રહ્યા છે અને છેલ્લા 6-7 મહિનાઓમાં આ મારા પ્રયત્નો રહ્યા છે કે જમીની સ્તરે અને જમીની કાર્યકર્તાની સાથે સંબંધ બનાવી શકું. મારા માટે રાજનીતિ એટલી મહત્વની નથી જેટલી જનસેવા છે, અને જન સેવામાં માનવ-માનવ વચ્ચે સંબંધો સૌથી મહત્વપૂર્ણ હોય છે.