મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામા આખરે સિંધિયા રાજપરિવારમાં નવી પેઢીની રાજકારણમાં એન્ટ્રી માટે તૈયાર થઈ ગઈ છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાની દિકરાનું લોન્ચીંગ
અહીં આપી દીધી મોટી જવાબદારી
રાજકારણમાં લઈ શકે છે એન્ટ્રી
મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામા આખરે સિંધિયા રાજપરિવારમાં નવી પેઢીની રાજકારણમાં એન્ટ્રી માટે તૈયાર થઈ ગઈ છે. જ્યાં પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધાયના મોટા દિકરા મહાઆર્યમન સિંધિયા ક્રિકેટની પીચ પર ઉતર્યા છે. તેની શરરુઆત પણ થઈ ચુકી છે. આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાના દિકરા મહાઆર્યમનને ગ્વાલિયર ડિવીજન ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ બનવામાં આવ્યા છે. તેમાં ખાસ વાત એ છે કે, આર્યમાન માટે કોઈ પણ સંસ્થા, સંગઠનમાં આ પહેલુ પદ છે. ત્યારે આવા સમયે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે કે, તે ટૂંક સમયમાં રાજકારણમાં ઝંપલાવી શકે છે.
હકીકતમાં જોઈએ તો, ગત 27 માર્ચે GDCAની વાર્ષિક બેઠક થઈ હતી. જ્યાં પર ગ્વાલિયર ડિવિજન ક્રિકેટ એસોસિએશનના સંરક્ષક જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા નવી કાર્યકારિણી બનાવામાં આવી હતી. જેના અધ્યક્ષ પદ પર અત્યંત અનુભવી પૂર્વ IAS પ્રશાંત મહેતાજીને પસંદ કરવામાં આવ્યા છે. જો કે, હજૂ સુધી એસોસિએશનના સભ્ય હતા. ત્યારે આવા સમયે તેમની સાથે જીવાજી યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ વિભાગના ડાયરેક્ટર રહેલા ડો. રાજેન્દ્ર સિંહને પણ ઉપાધ્યક્ષ બનાવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપાધ્યક્ષ રહેલા સંજય આહૂજાને સચિવ પદની જવાબદારી સોંપવામાં આવી છે. તો વળી વીરેન્દ્ર બાપનાને કોષાધ્યક્ષ પદ પર રાખવામાં આવ્યા છે.
દાદા માધવરાવ અને પિતાએ પણ ક્રિકેટના મેદાનમાંથી કરી હતી શરૂઆત
સૌથી ખાસ વાત એ છે કે, મહાઆર્યનના પિતા જ્યોતિરાદિત્ય અને દાદા માધવરાવ સિંધિયાને ક્રિકેટ સાથે જૂનો નાતો છે. જ્યાં પર જ્યોતિરાદિત્ય હાલમાં ગ્વાલિયર ડિવિજન ક્રિકેટ એસોસિએશનના સંરક્ષક છે. તો વળી મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદની જવાબદારી પણ સંભાળી ચુક્યા છે. કારણ કે, માધવરાવ સિંધિયા, પછી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. ત્યારે આવા સમયે માનવામા આવે છે કે, આર્યમન ટૂંક સમયમાં જ રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે. હાલમાં જ પિતા જ્યોતિરાદિત્ય સાથે આર્યમને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. જે બાદ પ્રધાનમંત્રી ખુદ સિંધિયાના ઘરે પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસ્વીરોમાં આર્યમન પીએમ મોદીની એકદમ નજીકમાં ઉભા હતા. પ્રયત્નો એવા રહેશે કે, આગળ જતાં આ યુવા શક્તિનો ઉપયોગ વિધાનસભા તથા રાજ્યસભામાં કરી શકે છે.
સિંધિયાનો પ્રચાર સંભાળી રહ્યા છે આર્યમન
અહીં ઉલ્લેખનીય છે કે, 27 વર્ષિય આર્યમન છેલ્લા કેટલાય વર્ષોથી સતત પિતા સાથે તાલ મિલાવીને ચાલી રહ્યા છે. જ્યાં જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં જ એક કાર્યક્રમમાં આર્યમનની ખાસ લોકો સાથે મુલાકાત કરતા દેખાયા હતા. તો વળી આર્યમન પણ પિતાના પ્રચારની કમાન સંભાળતા દેખાયા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે.