ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાને કોરોના થયો છે. બંનેને દિલ્હીની સાકેત મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયા કોરોનાગ્રસ્ત થયાં છે. બંનેને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિંધિયાને ગળું ખરાબ હતું અને તાવ હતો. આ પછી, તેમનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં.
કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેની માતા માધવી રાજે સિંધિયાને ચાર દિવસ પહેલા જ મેક્સ સાકેતમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયામાં કોરોનાના લક્ષણો હતાં, પરંતુ તેની માતાને કોઈ લક્ષણો નહોતા. આજે બંનેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે બંનેની સારવાર કરવામાં આવી રહી છે.
સિંધિયા લૉકડાઉન પછી દિલ્હીમાં જ છે
કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા લૉકડાઉનની જાહેરાતથઈ ત્યારથી દિલ્હીમાં છે. તે તેમના પરિવાર સાથે દિલ્હી સ્થિત તેમના નિવાસ પર રહેતા હતા, પરંતુ ચાર દિવસ પહેલા અચાનક જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોરોનાના લક્ષણો જોવા મળ્યાં હતાં. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સંપર્કમાં આવનારા લોકોને ક્વૉરન્ટાઈન કરવામાં આવશે
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોરોના લક્ષણો દેખાયા પછી માતા માધવી રાજે સિંધિયાની પણ કોરોના માટે તપાસ કરવામાં આવી હતી. બંનેના રિપોર્ટ પોઝિટિવા આવ્યાં છે. હવે બંનેના સંપર્કમાં આવનારા લોકોને ક્વોરન્ટાઈન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા
તાજેતરમાં જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડી હતી. તેઓ કોંગ્રેસના જનરલ સેક્રેટરી હતા, પરંતુ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. સિંધિયા ભાજપમાં જોડાયા બાદ મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર પડી. ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્ય પ્રદેશથી રાજ્યસભાની ટિકિટ પણ આપી છે.