કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે તેલંગાણામાં મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે તેલંગાણાના મંત્રી ટી. રામરાવ સાથે રાજ્યમાં મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ આ પ્રકારની પહેલી યોજના હશે. જેનો ઉદ્દેશ્ય ડ્રોનના ઉપયોગથી દૂર સુદૂરના ક્ષેત્રોમાં વેક્સિન અને આવશ્યક દવાઓ પહોંચાડવાનું છે. તેમણે કહ્યું હતું કે આ માટે ગ્રીન ઝોન તરીકે 16 એરિયા સિલેકટ કરવામાં આવ્યા છે.
ડ્રોન સંચાલનના નિયમોને સરળ બનાવી દેવામાં આવ્યા
સિંધિયાએ કહ્યું હતું કે કેન્દ્રમાં એનડીએ સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી ડ્રોન નીતિ મુજબ હાલમાં જ દેશમાં ડ્રોન સંચાલનના નિયમોને સરળ બનાવી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ માટે સરકારે ફોર્મની સંખ્યા અને કિંમત ઓછી કરી દીધી હતી.
આટલા ઝોનમાં જ ઉડશે ડ્રોન
- ગ્રીન ઝોન અનુસાર ડ્રોન ઊડાડવા માટે કોઈની પરમીશનની જરૂર નહીં પડે.
- યલો ઝોનમાં ડ્રોન ઊડાડવા માટે પરમીશન જોઈશે.
- રેડ જૉન એવો ઝોન છે જ્યાં ડ્રોન ઊડાડવા પ્રતિબંધ રહેશે, તેને નો ફલાય એરિયા ગણવામાં આવશે
મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટ
તેમણે કહ્યું હતું કે સૌપ્રથમ 16 ગ્રીન ઊડાડવા ઝોનમાં મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટને હાથમાં લેવામાં આવશે. અહીં દવાઓની ડિલીવરી ડ્રોનના માધ્યમથી કરવામાં આવશે. લાંબુ અંતર અને ભરે પેલોડ પર ડ્રોનની ક્ષમતા નક્કી કરવામાં આવશે અને અધિકારીઓ તેનો ટેસ્ટ કરશે.
ત્રણ મહિના માટે ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સાથે મળીને ડેટા વિશ્લેષણ કરીને આખા દેશમાં આવું મોડલ બનાવવામાં આવશે. સિંધિયાએ કહ્યું હતું કે આજે માત્ર તેલંગાણા જ નહીં પણ આખા દેશ માટે ક્રાંતિકારી દિવસ છે.