જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવવા મામલે કોંગ્રેસમાં બે જુથમાં વહેંચાઇ ગઇ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોદી સરકારનું સમર્થન કર્યું છે. સિંધિયાએ કહ્યું કે, 'આ નિર્ણય રાષ્ટ્રહિત માટે લેવાયો છે અને હું એને પૂર્ણ સમર્થન કરું છું'. કલમ 370 મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંસદમાં તેનો વિરોધ કરી રહ્યા છે તો યુવા નેતા તેનું સમર્થન કરી રહ્યા છે.
વિદિત છે કે, થોડા દિવસ પહેલા કોંગ્રેસના એક યુવા નેતાએ કહ્યું હતું કે જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવા જોઇએ. આર્ટિકલ 370નું સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થયા બાદ આજે લોકસભામાં રજૂ કરાયું હતું. જ્યારે વિપક્ષી પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે આર્ટિકલ 370 મામલે વિરોધ દર્શાવ્યો છે. જોકે અનુચ્છેદ 370ના સંશોધન બિલ પર કોંગ્રેસ બે ભાગમાં વહેંચાયેલ જોવા મળી.
એક તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેનો વિરોધ કરી રહ્યા હતા તો પાર્ટીના યુવા નેતા તેનું સમર્થન કરતા જોવા મળ્યા. જેમા તાજુ નામ જ્યોતિરાદિત્ય સિંધિયાનું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ આર્ટિકલ 370 મામલે મોદી સરકારને સમર્થન આપ્યું છે.
#जम्मूकश्मीर और #लद्दाख को लेकर उठाए गए कदम और भारत देश मे उनके पूर्ण रूप से एकीकरण का मैं समर्थन करता हूँ। संवैधानिक प्रक्रिया का पूर्ण रूप से पालन किया जाता तो बेहतर होता, साथ ही कोई प्रश्न भी खड़े नही होते। लेकिन ये फैसला राष्ट्र हित मे लिया गया है और मैं इसका समर्थन करता हूँ।
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરતા કહ્યું કે, જમ્મૂ કાશ્મીર અને લદ્દાખના મુદ્દે લેવાયેલું આ પગલું અને તેને પૂર્ણ રૂપે ભારતમાં ભેળવવાને મારું પૂર્ણ સમર્થન છે. જો બંધારણીય પ્રક્રિયા મુજબ પૂર્ણ રીતે આ નિયમનું પાલન કરાવ્યું હોત તો વધુ સારું રહેત, સાથે સાથે કોઇ પ્રશ્ન પણ ન ઉઠાવત. પરંતુ આ નિર્ણય રાષ્ટ્રહિત માટે લેવાયો છે અને હું એને પૂર્ણ સમર્થન કરું છું.