દેશમાં ફ્લાઈટ દુર્ઘટનાઓ વધતા નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ એક મોટી બેઠક યોજીને તમામ એરલાઈન્સને જરુરી સુરક્ષાના પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.
દેશમાં ફ્લાઈટ દુર્ઘટનાઓ વધતા સરકાર એક્શનમાં
નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ યોજી હાઈ લેવલ બેઠક
તમામ એરલાઈન્સને કહેવાયું, સુરક્ષાના પૂરતા પગલાં ઉઠાવો
દેશમાં ખાનગી અને સરકારી એરલાઈન્સની ફ્લાઈટોમાં દુર્ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં એકીસાથે ત્રણ ફ્લાઈટમાં હવામાં જ દુર્ઘટનાઓ સામે આવી હતી આથી પ્રવાસીઓ એક પ્રકારનો ડર ફેલાયો છે અને લોકો હવાઈ મુસાફરી કરતા ડરી રહ્યાં છે. લોકોનો આવો ડર દૂર કરવા માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. હાઈલેવલ બેઠકમાં ફ્લાઈટમાં સુરક્ષાનો મુદ્દો ચર્ચાયો હતો. બેઠકમાં તમામ એરલાઈન્સને એવો આદેશ આપવામાં આવ્યો કે તેમણે સુરક્ષાના પૂરતા પગલા ભરવા પડશે.
Civil Aviation Minister Jyotiraditya Scindia chaired a one-on-one meeting with heads of airline companies to review flight safety norms today. Instructions have been issued to each airline to take steps at all levels to enhance security surveillance.
મુસાફરોની સલામતીમાં કોઈ કસર ન રહે તેની ખાતરી રાખો
મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં એવું જણાવાયું કે ઉડ્ડયન મંત્રીએ એરલાઈન્સને નિર્ધારિત સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને મુસાફરોની સલામતીમાં કોઈ પણ કસર ન રહે તેની ખાતરી રાખવાનું જણાવ્યું હતું.
Aviation Minister Jyotiraditya Scindia hold one-on-one meetings with chiefs of Indian carriers, asks them to ramp up safety oversight: Sources said
સ્પાઇસ જેટ, ઇન્ડિગો અને ગો ફર્સ્ટની ફ્લાઈટમાં સામે આવી દુર્ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સ્પાઇસ જેટ, ઇન્ડિગો અને ગો ફર્સ્ટ જેવી ઓછી કિંમતની એરલાઇન્સ સાથે સંકળાયેલી કેટલીક ફ્લાઇટમાં દુર્ઘટનાઓ સામે આવી હતી જેને કારણે પ્રવાસીઓમાં ડર ફેલાયો છે અને લોકો હવાઈ મુસાફરી કરતા ખચવાટ અનુભવી રહ્યાં હતા. આથી સરકારે તાબડતોબ મીટિંગ કરીને એરલાઈન્સને મુસાફરોની સુરક્ષા માટે તાકીદના પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો.