કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી Sonia Gandhi અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી Rahul Gandhi દ્વારા પાર્ટીમાં મહત્વ નહીં આપવામાં આવ્યા બાદ પૂર્વ કેન્દ્રીય જ્યોતિરાદિત્ય સિંધિયા Jyotiraditya Scindia ના સાસરા પક્ષથી વડોદરાના રાજપરિવારની મહારાણી રાજમાતા શુભાંગિન દેવી ગાયકવાડે તેમની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મધ્યસ્થતા કરાવવામાં મહત્વ ભૂમિકા નિભાવી છે, જેના કારણે સિંધિયા અંતમાં કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કેસિરયા તરફ નજીક જતાં જોવા મળી રહ્યાં છે.
સિંધિયા અને PM મોદી વચ્ચે મધ્યસ્થતા કરાવવા મહત્વની ભૂમિકા
જ્યોતિરાદિત્ય સિંધિયાનું વડોદરા રાજપરિવાર છે સાસરુ
જ્યોતિરાદિત્ય સિંધિયા ના એક નજીકના સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે ગ્વાલિયર રાજપરિવારથી સંબંધ રાખનારા 49 વર્ષીય જ્યોતિરાદિત્ય સિંધિયાનું સાસરું વડોદરા રાજપરિવારમાં છે. આ રાજપરિવારની મહારાની રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડે સિંધિયા અને PM મોદી વચ્ચે વાતચીત કરવાનો રસ્તો તૈયાર કર્યો.
જો કે વડોદરાના રાજમાતાએ જણાવ્યું કે તેમના કારણે જ આ શક્ય થયું છે કે ભાજપા અને સિંધિયા વચ્ચે વાતચીત થઇ અને અંતમાં જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપ તરફ આગળ વધ્યાં.
સિંધિયા પરિવારના એક નજીકના સૂત્રોએ જણાવ્યું કે જ્યોતિરાદિત્યના પત્ની પ્રિયદર્શની વડોદરાના ગાયકવાડ રાજપરિવારમાંથી છે. આ કારણે તેમનું વારંવાર વડોદરા આવવા-જવાનું હોય છે. જ્યારે વડોદરાના મહારાણીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધારે સન્માન કરે છે અને તેમની સાથે સારા સંબંધ છે.
જો કે અટકળો વચ્ચે માધવરાવ સિંધિયા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાની કોઇ વાત સાંભળી નહીં અને સોનિયાએ કહ્યું કે તમે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ સાથે વાતચીત કરી આંતરિક મતભેદ દૂર કરો. જો કે કમલનાથે પણ ક્યારેય જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે સમસ્યા નિવારણ અંગે કોઇ ચર્ચા કરી નહીં.