બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Jyotiraditya attacks congress regarding ram mandir claims party leaders themselves are clueless
Last Updated: 09:08 PM, 17 August 2020
થોડા મહિના પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની પૂર્વ પાર્ટી કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસ પોતે જ નથી જાણતી કે તેમના નેતાઓએ હકીકતમાં શું કર્યું છે અને શું નથી કર્યું.
ADVERTISEMENT
On one hand, he (Former Madhya Pradesh CM Kamal Nath) is saying, he (Former PM Rajiv Gandhi) got the locks of Babri Masjid opened, on other hand, Shashi Tharoor said that he didn't open locks. Congress itself doesn't know what their leader did & didn't: Jyotiraditya Scindia, BJP pic.twitter.com/ulvAHkYu5i
— ANI (@ANI) August 17, 2020
ADVERTISEMENT
અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરના નિર્માણ માટે થયેલા ભૂમિપૂજન મુદ્દે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટિપ્પણી આપી હતી કે રાજીવ ગાંધીએ રામ મંદિરનું તાળું ખોલાવ્યું ત્યારે જ મંદિર બનવાનો માર્ગ ખુલ્લો થયો અને જો આજે રાજીવ ગાંધી હયાત હોત તો તેઓ ખૂબ ખુશ થયા હોત.
We are sending 11 silver brick to Ayodhya from the people of Madhya Pradesh, they were bought with donations from Congress members. It's a historic day (tomorrow) for which entire country was waiting. Hanuman Chalisa recital was done for welfare of the state's people: Kamal Nath https://t.co/FvWkWSKfWM pic.twitter.com/xNW92IO2Zz
— ANI (@ANI) August 4, 2020
કમલનાથે અયોધ્યાના ભૂમિપૂજન પહેલા પોતાના ઘરે હનુમાન ચાલીસા યોજી હતી, ત્યારબાદ તેમણે દાવો કર્યો હતો કે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના કારણે આજે રામ મંદિરનું સપનું સાકાર થઈ રહ્યું છે. કમલનાથે તે સમયે કહ્યું હતું કે, 'આજે રાજીવ ગાંધી જીવતા હોત, તો તેઓ આ બધું જોઈ શકત. રાજ્યના લોકો વતી રામ મંદિર નિર્માણ માટે અમે ચાંદીના 11 પથ્થરો મોકલી રહ્યા છીએ.' કોંગ્રેસ કાર્યકરોએ દાનમાંથી પૈસા એકઠા કરીને આ ચાંદીની ઇંટો અયોધ્યામાં મોકલી છે.
તેણે કહ્યું હતું કે, 'મેં છિંદવાડામાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી છે. અમારી સરકારમાં અમે ગૌશાળાઓ બનાવી, રામ-વન-ગમન પથના નિર્માણના અવરોધોને દૂર કર્યા, અને મહાકાલ અને ઓમકારેશ્વર મંદિરના વિકાસની યોજના બનાવી. અમે રાજકારણ માટે ધર્મનો ઉપયોગ કરતા નથી. અમે આવા પગલાંઓને કોઈ ઇવેન્ટ બનાવી દેતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.