જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટની જૂવેનાઇલ જસ્ટિસ કમિટીએ મંગળવારે સુપ્રીમ કોર્ટને બતાવ્યું કે પ્રદેશમાં 9થી 17 વર્ષની ઉંમરના 144 સગીરોની કાનૂન સામે સંઘર્ષ દરમિયાન ધરપકડ કરવામાં આવી. તેમાંથી ઘણા સગીરોને જુવેનાઇલ હોમ્સમાં રાખવામાં આવ્યા હતા.
જૂવેનાઇલ જસ્ટિસ કમિટીએ કહ્યું - અનુચ્છેદ 370ની જોગવાઇ દૂર થયા બાદ કાર્યવાહી કરાઇ
કમિટીએ કહ્યું- 142 સગીરોને મૂક્ત કરી દેવાયા છે, બે હજુ જૂવેનાઇલ હોમ્સમાં છે
જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર અનુચ્છેદ 370ના મોટાભાગની જોગવાઇ દૂર થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા પ્રાપ્ત જાણકારીનો હવાલો આપી કમિટીએ બતાવ્યું કે તેમાંથી 142 સગીરોને પહેલા જ મૂક્ત કરી દેવાયા છે. જ્યારે બે હજુ જૂવેનાઇલ હોમ્સમાં છે.
નોંધનીય છે કે, બાળ અધિકાર કાર્યકર્તા ઇનાક્ષી ગાંગુલી અને સાંતા સિન્હાની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટની જુવેનાઇલ જસ્ટિસ કમિટીથી ગેરકાનૂની રીતે ધરપકડ કરવામાં આવેલા સગીરોના મામલામાં એક રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કમિટીના અધ્યક્ષ જસ્ટિસ અલી મોહમ્મદે રાજ્યની વિભિન્ન એજન્સીઓ અને સબ ઓર્ડિનેટ કોર્ટ પાસેથી રિપોર્ટ માંગી હતી.
કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલી ડીજીપીની રિપોર્ટ કહે છે કે ગેરકાનૂની રીતે કોઇપણ સગીરોની ધરપકડ કરવામાં આવી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું, 'કોઇપણ સગીરોની પોલીસ અધિકારીઓ દ્વારા ગેરકાનૂની રીતે ધરપકડ કરવામાં આવી નથી કેમકે અંહી કિશોર ન્યાય (બાળકોની દેખભાળ અને સંરક્ષણ) અધિનિયમની જોગવાઇનું કડક રીતે પાલન કરવામાં આવે છે.'
જેજે કમિટીએ સુપ્રીમ કોર્ટ બતાવ્યું કે એમને સગીરોની ગેરકાનૂની રીતે ધરપકડના એકપણ મામલાની અરજી મળી નથી. પરંતુ સાથે એમ પણ કહ્યું કે હાઇકોર્ટમાં કેટલીક હેબિયસ કોર્પસ અરજીઓ હતી. જેમા ધરપકડ કરાયેલા લોકોને સગીરો કહેવામાં આવ્યું હતું. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે તેમની દેખરેખ માટે નોડલ ઓફિસર રૂપે એડીજીપી રેન્કના એક ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ દરમિયાન ગત સપ્તાહે જમ્મૂ કાશ્મીર તંત્રે પોતાનો નજરબંધી આદેશ પાછો લઇ લીધો અને પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ ધરપકડ કરવામાં આવેલા ચાર સગીરોને મુક્ત કરવામાં આવ્યા.