રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજની નિમણૂંકને મંજૂરી આપી છે. હવે 4 નવી નિમણૂંંક સાથે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધીને 34ની થઈ ચૂકી છે.
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજની નિમણૂંકને મળી મંજૂરી
સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા હવે 34ની થઈ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી
હિમાચલ પ્રદેશ, પંજાબ-હરિયાણા, રાજસ્થાન અને કેરળમાં મળી નવા જજની મંજૂરી
રાષ્ટ્રપતિ કોવિંદે આપી મંજૂરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજની નિમણૂંકને મંજૂરી આપી છે. નવા જજની નિયુક્તિ સાથે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધીને 34ની થઈ ચૂકી છે. નવા 4 જજમાં જસ્ટિસ રામસુબ્રમણ્યન, જસ્ટિસ કૃષ્ણ મુરારિ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ હ્રષિકેશ રૉયની રાષ્ટ્રપતિએ નિમણૂંક કરી છે.
જાણો ક્યાં થઈ કયા જજની નિમણૂંક
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધારીને 34ની કરી છે. જેમાં ચીફ જસ્ટિસનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હિમાચલ પ્રદેશ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રામ સુબ્રમણ્યન, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણ મુરારી, રાજસ્થાન હાઈકોર્ટના આર રવિન્દ્ર ભટ્ટ અને કેરળ હાઈકોર્ટ માટે હ્રષિકેશ રૉયના નામની પસંદગી મોકલી હતી. જેને રાષ્ટ્રપતિએ મંજૂર કર્યા છે. આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધારીને 34ની કરી છે. જેની પર વિધેયકના હસ્તાક્ષર પણ થઈ ચૂક્યા હતા. રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તાક્ષર બાદ આ સંબંધમાં 12 ઓગસ્ટે રાજપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં જજની કુલ સંખ્યા 10 ટકા વધારવાનું બિલ સંસદમાં થોડા દિવસો પહેલાં રાખવામાં આવ્યું હતું. જેમાં જજની વધેલી સંખ્યાના આધારે સરકારી ક્ષેત્રમાંથી રુપિયા પણ વહેંચવાના હતા જેના કારણે નાણાં વિધેયકના રૂપે પણ સંસદના બંને ગૃહમાંથી તેને પસાર કરાવવું પડ્યું હતું. બંને ગૃહની મંજૂરી બાજ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું.