બે દિવસ પછી જ્યારે નિર્ભયાના ગુનેગારોને ફાંસી થવા જઈ રહી છે. ત્યારે નિભર્યાના ગુનેગારોની ફાંસીની સજાને લઈને સુપ્રીમ કોર્ટના રિટાયર જજ કુરિયન જોસેફે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુનેગારોને ફાંસી આપવાથી નિર્ભયાના માતા-પિતાને ન્યાય નહી મળે.
નિર્ભયાના ગુનેગારને ફાંસી આપવાથી નિર્ભયાને ન્યાય નહીં મળેઃ કુરિયાન જોસેફ
જસ્ટિસ કુરિયનને આવા ગુનાહ માટે ઉંમર કેદ કરવાની વાત કરી
કહ્યું ફાંસી થશે તો લોકો ગુનો ભૂલી જશે
ફાંસી આપવાથી શું ગુના અટકી જશે
રિટાયર્ડ જજે કહ્યું કે શું ગુનેગારોને ફાંસી આપી દેવાથી સામુહિક બળાત્કાર કે પછી આ પ્રકારના ગુનાઓ રોકાઈ જશે? સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે આ લોકોને ફાંસી આપવાથી શું ગુના અટકી જશે.
જસ્ટિસ કુરિયનને આવા ગુનાહ માટે ઉંમર કેદ કરવાની વાત કરી
પૂર્વ ન્યાયાધીશે કહ્યું કે બચન સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દુર્લભતમ કેસોમાં મૃત્યુદંડ આપી શકાય છે. એ પણ ત્યારે જ્યારે વિકલ્પ નિર્વિવાદીત રુપે ખોટા સાબિત થાય. ન્યાયનો મતબલ એ નથી કે જીવના બદલે જીવ લેવો. સ્વતંત્રતા છીનવી લેવાથી મોટી સજા માણસ માટે બીજી કોઈ ન હોઈ શકે.
કહ્યું ફાંસી થશે તો લોકો ગુનો ભૂલી જશે
કુરિયન જોસેફે કહ્યું કે જો ગુનેગારોને ઉંમર કેદની સજા મળે તો સમાજને એક સંદેશો મળશે કે આવા ગુનાઓ માટે આટલી કઠોળ સજા છે. જો ફાંસી આપવામાં આવશે તો ગુનેગારોના ગુનાને ભૂલી જશે. ઉલ્લેખનીય છે કે નિર્ભયાના ગુનેગારોને શુક્રવારે ફાંસી થવા જઈ રહી છે.