અલ્હાબાદ હાઈકોર્ટના જજ વિક્રમ નાથ હવે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ થશે. આ બાબત અંગે કેન્દ્ર સરકાર દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, જસ્ટિસ નાથે 1986માં કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને 1987માં તેમણે અલ્હાબાદ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી.
તેમણે 2004માં અલ્હાબાદ હાઇકોર્ટના એક એડિશનલ જજ તરીકે નિયુક્તિ પામ્યા હતા. જ્યારે 2006 માં અલ્હાબાદ હાઇકોર્ટના સ્થાયી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.
આપને જણાવી દઇએ કે, કોલેજિયમે 22 ઓગસ્ટના રોજ ન્યાયમૂર્તિ વિક્રમનાથને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીક નિયુક્ત કરવાની રજૂઆત કરી હતી. કોલેજિયમે પ્રસ્તાવ આપ્યો હતો કે, ન્યાયમૂર્તિ નાથને આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના પ્રથમ ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવે.
જો કે, 22 ઓગસ્ટના રોજ કોલેજિયમે પ્રસ્તાવમાં સામે આવ્યું હતું. કેન્દ્ર દ્વારા ફાઇલ પરત મોકલવામાં આવી છે અને કોલિજિયમને આ પ્રસ્તાવ પર ફરીવાર વિચાર કરવાનો અનુરોધ કર્યો હતો. જો કે, ત્યારબાદ કોલેજિયમે ત્યારે પ્રસ્તાવ આપ્યો કે, ન્યામૂર્તિ નાથને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કરવામાં આવશે.