રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડેનો શપથ સમારોહ યોજાયો. તેઓએ દેશના 47મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. નવા CJI તરીકે જસ્ટિસ બોબડેએ શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લેવડાવ્યા શપથ. આ સમારોહમાં PM મોદી, અમિતશાહ અને મનમોહનસિંહ પણ હાજર રહ્યા હતા. પૂર્વ CJI રંજન ગોગોઈ પણ સમારોહમાં હાજર રહ્યા હતા.
63 વર્ષના જસ્ટીસ બોબડે આજે મુખ્ય ન્યાયધીશના શપથ લીધા. દેશના 47માં મુખ્ય ન્યાયધીશના તેઓ શપથ ગ્રહણ કર્યા. શરદ અરવિંદ બોબડે રંજન ગોગોઈનું સ્થાન લીધું. 17 મહીના સુધી મુખ્ય ન્યાયધીશના પદ પર બોબડે રહેશે. શરદ બોબડે મહારાષ્ટ્રના વકીલ પરિવારમાંથી આવે છે. 24 એપ્રિલ 1956માં નાગપુરમાં શરદ બોબડેનો જન્મ થયો હતો.
કોણ છે જસ્ટીસ એસ.એ. બોબડે?
24 એપ્રિલ, 1956માં મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મ
મહારાષ્ટ્રના વકીલ પરિવારમાંથી આવે છે શરદ બોબડે
નાગપુર વિશ્વવિદ્યાલયથી મેળવી LLBની ડિગ્રી
29 માર્ચ, 2000માં બોમ્બે હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધિશ તરીકે નિમણૂક
16 ઓક્ટોબર, 2012માં મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિમાયા
12 એપ્રિલ, 2013માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી
જસ્ટિસ બોબડેએ આપ્યા અનેક મોટા નિર્ણય
અયોધ્યા સિવાય જસ્ટિસ બોબડે અન્ય અનેક મોટા નિર્ણયોમાં સામેલ રહી ચૂક્યા છે. ઓગસ્ટ 2017માં તત્કાલીન ચીફ જસ્ટિસ જેએસ ખેહરની અધ્યક્ષતામાં 9 સભ્યોની ખંડપીઠનો ભાગ રહી ચૂક્યા છે. જસ્ટિસ બોબડેએ ગોપનીયતાના અધિકારને મૌલિક અધિકાર ગણાવ્યો હતો.
2015માં તે ત્રણ સભ્યોની બેંચમાંની એક હતી, જેણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતના કોઈ પણ નાગરિકને આધાર નંબરની ગેરહાજરીમાં મૂળભૂત સેવાઓ અને સરકારી સેવાઓથી નકારી શકાય નહીં.