બદલી / દિલ્હી હિંસાની સુનાવણી કરનાર જજની થઈ બદલી, આ જગ્યાએ બજાવશે ફરજ

Justice S Muralidhar Transfered To Punjab And Haryana High Court From Delhi High Court

દિલ્હી હિંસા મામલે સુનાવણી કરનાર જજની બદલી કરી દેવામાં આવી છે. પોલીસને ફટકાર લગાવનાર જજ મુરલીધરની બદલી કરી દેવામાં આવી છે. હવે જજ મુરલીધર પંજાબ-હરિયાણા હાઈકોર્ટના જજ તરીકે ફરજ બજાવશે. આ મામલે રાષ્ટ્રપતિ ભવનથી અધિસૂચના જાહેર કરવામાં આવી છે. SC કોલેજિયમની ભલામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ CJI સાથે ચર્ચા કર્યા બાદ બદલી કરી હતી. 12 ફેબ્રુઆરીએ કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ