દિલ્હી હિંસા મામલે સુનાવણી કરનાર જજની બદલી કરી દેવામાં આવી છે. પોલીસને ફટકાર લગાવનાર જજ મુરલીધરની બદલી કરી દેવામાં આવી છે. હવે જજ મુરલીધર પંજાબ-હરિયાણા હાઈકોર્ટના જજ તરીકે ફરજ બજાવશે. આ મામલે રાષ્ટ્રપતિ ભવનથી અધિસૂચના જાહેર કરવામાં આવી છે. SC કોલેજિયમની ભલામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ CJI સાથે ચર્ચા કર્યા બાદ બદલી કરી હતી. 12 ફેબ્રુઆરીએ કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી.
દિલ્હી હિંસાની સુનાવણી કરનાર જજની બદલી થઈ
જજ મુરલીધર પંજાબ-હરિયાણા હાઈકોર્ટના જજ બનશે
SC કોલેજિયમની ભલામણ બાદ આ નિર્ણય લેવાયો
કેન્દ્રીય કાયદામંત્રીની તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે CJI બોબડેની સલાહ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ એસ. મુરલીધરને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે. નોટિફિકેશનમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિએ જસ્ટિસ મુરલીધરને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં જજ પદ સંભાળવાનો આદેશ આપ્યો છે.
મે 2006માં બન્યા હતા દિલ્હી હાઈકોર્ટમાં જજ
જસ્ટિસ મુરસીધર 29 મે 2006ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં જજ બન્યા હતા. અહીં અનેક મુખ્ય નિર્ણયો લેનારી ખંડપીઠનો ભાગ પણ બન્યા હતા. તેઓ એ ખંડપીઠનો પણ ભાગ હતા જેને આઈપીસીની કલમ 377ને ગેરઅપરાધિક જાહેર કર્યું છે. દિલ્હી હાઈકોર્ટમાં વરિષ્ઠતામાં ત્રીજા ક્રમે હતા અને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં આ વરિષ્ઠતામાં ચીફ જસ્ટિસ રવિ શંકર ઝા બાદ અન્ય નંબર પર હશે.
12 ફેબ્રુઆરીએ કલીજિયમે ટ્રાન્સફરની કરી ભલામણ
ઉલ્લેખનીય છે કે સીજેઆઈની અધ્યક્ષતા વાળી સુપ્રીમ કોર્ટે કલીજિયમને 12 ફેબ્રુઆરીએ પોતાની બેઠકમાં જસ્ટિસ મુરલીધરને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની સિફારિશનો નિર્ણય લીધો હતો. કલીજિયમના આ નિર્ણયનો દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિયેશને વિરોધ કર્યો. બુધવારે જસ્ટિસ મુરલીધર અને જસ્ટિસ તલવંત સિંહની ડિવિઝન બેંચે નોર્થ ઈસ્ટ દિલ્હીમાં થયેલી હિંસાને લઈને લો ઈન્ફોર્સમેન્ટ એજન્સીની તરફથી એક્શન લેવામાં જે મોડું થઈ રહ્યું છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હીમાં હાલ સુધી 27 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે.