દેશના ચીફ જસ્ટિસ બોબડે આવતા મહિને નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમણે નવા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા માટે જસ્ટિસ રમન્નાના નામની ભલામણ કરી છે.
જસ્ટિસ બોબડે આવતા મહિને થશે રિટાયર
જસ્ટિસ બોબડેએ દેશના નવા મુખ્ય ન્યાયાધીશ માટે સરકારને કરી સિફારીશ
જસ્ટિસ રમન્નાના નામની ભલામણ કરવામાં આવી
જસ્ટિસ નથાલાપતિ વેંકટ રમન્ના ભારતના 48માં મુખ્ય નયાયાધીશ હશે. વર્તમાન ચીફ જસ્ટિસ બોબડેએ તેમના નામની ભલામણ કેન્દ્ર સરકારને આપી હતી. નોંધનીય છે કે જસ્ટિસ બોબડેનો કાર્યકાળ 23 એપ્રિલ સુધી છે. રાષ્ટ્રપતિની સ્વીકૃતિ બાદ 24મી એપ્રિલના રોજ નવા ચીફ જસ્ટિસ શપથ લેશે.
જસ્ટિસ રમન્નાને વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2022માં તેમનો કાર્યકાળ સમાપ્ત થશે. વર્ષ 1983માં તેમણે વકીલાત શરૂ કરી હતી. જ્યારે આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી હતા તે સમયે જસ્ટિસ રમન્ના એડિશનલ એડવોકેટ જનરલ પદ પર હતા.
નોંધનીય છે કે હાલમાં જ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો અને જેમાં ફરિયાદ કરવામાં આવી હતી કે જસ્ટિસ રમન્ના આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં દખલ કરી રહ્યા છે. અમરાવતી જમીન કૌભાંડ મામલામાં પણ તેમના પરિવારના કેટલાક સદસ્યોની ભૂમિકા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ચીફ જસ્ટિસ દ્વારા સરકારને તેમના નામની ભલામણ કરવામાં આવી છે તેનો સીધો અર્થ થાય છે કે ચીફ જસ્ટિસે આ બધા આરોપોને નજરઅંદાજ કર્યા છે.
એનવી રમન્નાએ સાયન્સ અને લૉમાં ગ્રેજ્યુએશન કર્યું છે. વર્ષ 2013માં તેઓ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ હતા. એ બાદ તેમને દિલ્હી હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 2014માં તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા. સુપ્રીમ કોર્ટમાં સિનિયર જજોમાં જસ્ટિસ બોબડે બાદ જસ્ટિસ રમન્ના બીજા નંબર પર છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં અનુમોદીત જજોની સંખ્યા 34 છે અને હાલમાં કોર્ટમાં 30 જજો કાર્યરત છે.