27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરામાં 58 કારસેવકોને સળગાવવાની ઘટના બની હતી. કારસેવકો સાબરમતી એક્સપ્રેસથી અયોધ્યાથી અમદાવાદ આવતા હતા. ગોધરાકાંડની ઘટનાના કારણે પ્રતિક્રિયા થઈ અને ગુજરાતમાં તોફાનો થયા. આ તોફાનોની તપાસ માટે તત્કાલીન CM મોદીએ પંચ નિમ્યું. સુપ્રીમકોર્ટના નિવૃત્ત જસ્ટિસ નાણાવટીની અધ્યક્ષતામાં પંચની રચના થઈ.
2004માં પહેલો રિપોર્ટ રજૂ કરાયો
2008માં જ આપી દેવાઈ હતી ક્લીન ચીટ
ગોધરાકાંડ મુદ્દે તપાસ પંચ રચાયુ હતુ
નાણાવટી પંચના બીજા સભ્ય કે.જી.શાહ હતા. શરૂમાં પંચને સાબરમતી એક્સપ્રેસની આગની ઘટનાની તપાસ સોંપાઈ. જૂન 2002માં પંચને ગોધરાકાંડ પછી થયેલા તોફાનોની તપાસ પણ સોંપાઈ. પંચે મોદી, તેમની કેબિનેટ અને ગુજરાતના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા તપાસી. પંચે સપ્ટેમ્બર 2008માં ગોધરાકાંડ પર પોતાનો પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો.
2008માં જ આપી દેવાઈ હતી ક્લીન ચીટ
2008માં જ નાણાવટી પંચે મોદીને ક્લીન ચીટ આપી દીધી હતી. 2008માં પંચે કહ્યું હતું કે ગોધરાકાંડ પૂર્વાયોજિત હતો. 2009માં જસ્ટિસ શાહનું નિધન થતા અક્ષય મહેતાને બીજા સભ્ય બનાવાયા. 24 વખત પંચનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. ગોધરાકાંડ અને તોફાનોની તપાસમાં સરકારનો 7 કરોડ ખર્ચ થયો હતો.
પહેલો રિપોર્ટ 2014માં રજૂ કારયો હતો.
પંચે 45 હજાર એફિડેવીટ અને હજારો સાક્ષીઓના નિવેદન લીધા. નાણાવટી પંચે 12 વર્ષ તપાસ કરી અને અઢી હજાર પેજનો રિપોર્ટ સોંપ્યો. 18મી નવેમ્બર 2014ના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનને રિપોર્ટ સોંપાયો હતો. છેલ્લા 5 વર્ષોથી પંચના રિપોર્ટને વિધાનસભાના ટેબલ પર મુકવા કોંગ્રેસ માગ કરતી હતી. આજે નાણાવટી પંચનો આ રિપોર્ટ વિધાનસભામાં મુકવામાં આવ્યો છે. વિધાનસભામાં મુક્યા પછી પંચનો આ રિપોર્ટ જાહેર દસ્તાવેજ થયો છે.
ક્યારે ક્યારે રજૂ કરાયા રિપોર્ટ
જસ્ટિસ નાણાવટી અને જસ્ટીસ મહેતાએ તા. 18મી સપ્ટેમ્બર 2008ના રોજ તપાસ પંચનો અહેવાલનો ભાગ- 1 મુખ્ય મંત્રીને સુપ્રત કર્યો હતો. આ અહેવાલ 25મી સપ્ટેમ્બર 2008ના રોજ વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત તપાસ પંચ ભાગ-૨નો અહેવાલ તા. 18મી નવેમ્બર 2014ના રોજ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો હતો.