જો ખાવાનું યોગ્ય રીતે ખાવામાં આવે તો વ્યક્તિ ઘણી બધી બીમારીઓથી બચી જાય છે. આર્યુવેદમાં ખોરાક કેવી રીતે ખાવો તે જણાવવામાં આવ્યું છે. ચાલો તેના વિશે જાણીએ.
ફિટ રહેવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
સંતુલિત આહાર લેવો જેથી તમામ પોષક તત્વો મળી રહે
ખોરાક હંમેશા ચાવીના ખાવો જોઈએ
જમીન પર બેસીને જમવાથી ખોરાકનું યોગ્ય પાચન થાય છે
ફીટ અને સ્વસ્થ રહેવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી. સંતુલિત આહાર લો જેથી તમે તમારા શરીર માટે જરુરી તમામ પોષક તત્વો મેળવી શકો. બેલેન્સ ડાયટ લેવા ઉપરાંત ફીટ રહેવા માટે યોગ્ય રીતે ખાવું પણ જરુરી છે. આર્યુવેદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો યોગ્ય રીતે ખાય છે, તેઓ લાંબા સમય સુધી ફિટ રહે છે અને ઘણી બીમારીઓથી પણ બચી જાય છે. તો કઈ છે ખાવાની સાચી રીત, જાણો તેના વિશે.
ખોરાકને સારી રીતે ચાવો,
કેટલાક લોકો તેના ઝડપથી ખાવાની પ્રક્રિયામા ખોરાકને રધારે ચાવતા નથી. આર્યુર્વેદ અનુસાર ખોરાક હંમેશા ચાવીની ખાવો જોઈએ. આમ કરવાથી ખોરાક યોગ્ય રીતે ઝડપથી પચી જાય છે. આ સિવાય આમ કરવાથી શરીરને ખોરાકમાં જરુરી પોષક તત્વો મળે છે.
ખોરાક લેતી વખતે પાણી ન પીવું
આર્યુવેદ અનુસાર ભોજન કરતી વખતે પાણી ન પીવું જોઈએ. આ કારણે ખોરાક ધીમે ધીમે પચી જાય છે. આ સિવાય જે લોકો જમતી વખતે વધુ પાણી પીવે છે. તેમને પેટની સમસ્યા પણ થઈ શકે છે. જમ્યા પહેલા અને પછી ઓછામાં ઓછી 40 મિનિટ સુધી પાણી ન પીવો.
જમીન પર બેસીને ભોજન કરો
આર્યુવેદમાં કહેવામાં આવ્યું છે કે જમીન પર બેસીને ખાવાથી ખારોકનું યોગ્ય રીતે પાચન થાય છે. જેના કારણે શરીરને જરુરી તમામ પોષક તત્વો મળી રહે છે. તેથી ઉભા રહીને ક્યારેય ખાવું નહી.
ઋતુ પ્રમાણે ખોરાક લેવો
આર્યુવેદ અનુસાર ખોરાક હંમેશા ઋતુ પ્રમાણે જ લેવો જોઈએ. આમ કરવાથી ઘણી બીમારીઓ જાતે જ દૂર થઈ જશે. ઉનાળામાં હંમેશા હળવો ખોરાક લેવો જોઈએ. આ સિવાય ઠંડી વસ્તુઓનું વધુ સેવન કરવું જોઈએ. તેવી જ રીતે શિયાળામાં તમારે વધુ મીઠી, ખાટી અને શરીરને ગરમ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ઠંડીમાં વાસી ખોરાકથી દૂર રહો.