ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની પ્રથમ વનડેમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 10 વિકેટે મેચ જીતી છે. જેની પર બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીનું માનવું છે કે, 'મેદાનમાં એક ખરાબ દિવસ' હોવાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમ 10 વિકેટથી હારી ગઈ છે અને આગામી બે વન-ડે મેચમાં ટીમ જીત સાથે ફરી વાપસી કરશે.
પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમ 10 વિકેટથી હારી ગઈ
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આપી પ્રતિક્રિયા
બીજી વનડે 17 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે રમાશે
મંગળવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમ 255 રનમાં આઉટ થઈ ગઈ હતી. જ્યારે ડેવિડ વૉર્નર અને આરોન ફિંચની સદીની ઇનિંગ્સ પર ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે મેચ જીતી લીધી હતી.
ગાંગુલીએ ટ્વીટ કરી કહી આ વાત
ગાંગુલીએ ટ્વીટ કર્યું, 'ઓસ્ટ્રેલિયા સામેની આગામી બે વન-ડે મેચ શાનદાર હશે. ભારતીય ટીમ ખૂબ જ મજબૂત છે. મેદાનમાં માત્ર એક દિવસ ખરાબ હોવાને કારણે હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પહેલાં પણ આવી સ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છે અને અમે બે વર્ષ પહેલા 0-2થી પાછળ રહીને પણ ફરી વાપસી કરી હતી. મારી શુભેચ્છાઓ.'
આ તારીખે રમાશે આગામી મેચ
ભારતીય ટીમ રાજકોટમાં બીજી વનડે શુક્રવારે (17 જાન્યુઆરી) અને ત્રીજી મેચ રવિવારે (19 જાન્યુઆરી) બેંગલુરુમાં રમશે.