દેવગુરુ બૃહસ્પતિ હાલમાં મકર રાશિમાં છે. 6 એપ્રિલે 12.25 મિનિટે તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. અહીં તે 13 મહિના સુધી રહેશે. ગુરુનું આ રાશિ પરિવર્તન વાયુ તત્વની રાશિઓને પ્રભાવિત કરશે. એટલે કે તેમને મોટો ફાયદો મળી શકે છે. આ રાશિના જાતકોની વિવાહ સંબંધી બાધાઓ દૂર થશે અને કાર્ય વ્યાપાર સંબંધી સ્થિતિમાં ગતિ આવશે.
વાયુતત્વની 3 રાશિઓ
મિથુન, તુલા અને કુંભ વાયુતત્વની રાશિઓ માનવામાં આવે છે. ગુરુ હાલમાં આઠમા, ચોથા અને બારમા સ્થાને ચાલી રહ્યો છે. આ 3 ભાવને જ્યોતિષમાં શુભ ભાવ માનવામાં આવતા નથી. ગુરુ જેવો શુભ ગ્રહ જ્યારે રાશિથી 4-8 અને 12મા ભાવમાં ગતિ કરે છે તો પરિણામ શુભ મળતા નથી. ગુરુનું આગામી રાશિમાં ગોચર 3 રાશિને માટે સકારાત્મક રહેશે.
મિથુન
મિથુન રાશિથી ગુરુ ભાગ્ય સ્થાનમાં ભ્રમણ કરશે. આ જાતકોને ધર્મ આસ્થા અને વિશ્વાસથી પુણ્યાર્જનના અવસર વધશે. લાંબી દૂરી અને ધાર્મિક યાત્રાના યોગ બનશે. સ્વાસ્થ્ય સંબંધી અવરોધ ઘટશે. પ્રભાવશીલતા વધશે.
તુલા
તુલા રાશિથી ગુરુ પાંચમા સ્થાન પર ભ્રમણ કરશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ફાયદો થશે. પરીક્ષા પ્રતિયોગિતામાં સારો લાભ થશે. લાભનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્ય પણ સુધરશે.
કુંભ
કુંભ રાશિમાં ગુરુ પોતે બિરાજમાન રહેશે. આ સ્થિતિ આ રાશિના લોકોને જવાબદાર બનાવશે. જીવનમાં શુભતાનો સંચાર વધશે. ભાગ્યની પ્રબળતાની સાથે અટકેલા કામ થશે. પરીક્ષામાં સારો દેખાવ પણ કરી શકશો.