બુદ્ધી, હોશિયારી અને વ્યાપારના કારક ગ્રહ બુધ અને ધન-સમૃદ્ધી આપનારા ગુરૂ ગ્રહ આવતીકાલથી (18 ઓક્ટોબર 2021) પોતાની ચાલ બદલશે. આ બંને ગ્રહ અત્યાર સુધી વક્રી હતા. જે હવે સીધી ચાલ ચાલશે. જેની અસર 12 રાશિઓ પર થશે. પરંતુ કેટલીક રાશિવાળાંના જાતકો માટે આ લાભકારક થશે.
આ બે ગ્રહો આવતીકાલથી પોતાની ચાલ બદલશે
જેના કારણે તેની અસર 12 રાશિઓ પર પડશે
આ રાશિના જાતકોને થશે મોટો ધન લાભ
આ રાશિના જાતકોની ખુલશે કિસ્મત
વૃષભ: વૃષભ રાશિના જાતક જે સફળતાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તેને મેળવવાનો સમય આવી ગયો છે. કારકિર્દીમાં લાભ થશે. લગ્નના યોગ બની શકે છે. દામ્પત્ય જીવન પણ સારુ રહેશે. કુલ મળીને જીવનના દરેક ક્ષેત્રોમાં સફળતા મળશે.
કન્યા: કન્યા રાશિના જાતકોને અત્યારે કારકિર્દીમાં લાભ મળશે. બેરોજગારોને નોકરી મળશે. જે લોકો મનપસંદ નોકરી શોધી રહ્યાં છે, એવા લોકોની તપાસ પૂર્ણ થશે. એવા જાતક જે શારીરીક શ્રમ સાથે જોડાયેલા છે. તેમને પણ મોટો લાભ થઇ શકે છે.
વૃશ્વિક: વૃશ્વિક રાશિના જે જાતકોને બિઝનેસમાં ફાયદો થશે. તેમને મોટો ઓર્ડર મળશે અથવા વ્યાપાર વધશે. ધન લાભ થઇ શકે છે. સામાજીક જીવન સાથે જોડાયેલા લોકો માટે આ શ્રેષ્ઠ સમય છે.
ધન: બુધ-ગુરૂની બદલેલી ચાલે ધન રાશિના જાતકોને કારકિર્દીમાં ફાયદો કરાવશે. પછી તે વ્યાપાર હોય કે નોકરી. મીઠી વાણી અટકેલું કામ પાર પાડી દેશે.
મીન: મીન રાશિના જાતકોને વ્યાપારમાં લાભ થશે. પરિવારની સાથે સારો સમય વીતશે. ધન લાભના યોગ છે.