10 જૂન 2021ના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ યોજાઈ રહ્યું છે. આ આંશિક ગ્રહણ દેશમાં જોઈ શકાશે અને સાથે વૃષભ રાશિના લોકોને માઠી અસર કરશે.
10 જૂન 2021ના રોજ યોજાશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ
વૃષભ રાશિના લોકોને કરશે માઠી અસર
જાણો ગ્રહણનો સમય અને સૂતક કાળની માહિતિ
જ્યોતિષમાં ગ્રહણને પ્રભાવશાળી ખગોળીય ઘટના માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આંશિક સૂર્ય ગ્રહણ કે ચંદ્રગ્રહણની વ્યક્તિ પર અસર થાય છે. 10 જૂન ગુરુવારે જે સૂર્યગ્રહણ યોજાવવા જઈ રહ્યું છે તે દિવસે શનિ જયંતિ પણ છે.
જાણો સૂર્યગ્રહણનો સમય અને સૂતક કાળ
સૂર્યગ્રહણ ભારતમમાં જોઈ શકાશે. આ સિવાય કેનેડા, રશિયા, ગ્રીનલેન્ડ, યૂરોપ, એશિયા અને ઉત્તરી અમેરિકામાં પણ સૂર્યગ્રહણ દેખાશે. ભારતમાં ગ્રહણનો સમય 10 જૂન ગુરુવારે બપોરે 1.42 મિનિટથી સાંજે 6.41 મિનિટનો રહેશે. ભારતમાં આ આંશિક ગ્રહણ હશે. તેમાં સૂતક કાળ માન્ય રહેશે નહીં.
કઈ રાશિ પર થશે સૌથી વધારે અસર
જ્યોતિષના આધારે માનવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણની સૌથી વધારે અસર વૃષભ રાશિના લોકોને થઈ શકે છે. તેઓએ પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું રહેશે. ધન સંબંધી બાબતોમાં સાવધાની રાખવાની રહેશે. સ્વચ્છતાના કેસમાં કોઈપણ બેદરકારી નુકસાન કરી શકે છે.
આ વર્ષે કુલ 2 સૂર્યગ્રહણ યોજાશે
- પહેલું- 10 જૂન
- બીજું - 4 ડિસેમ્બર