પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરના દ્વાર આગામી 8 જૂને ભક્તો માટે ખુલ્લા કરાશે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનો ભંગ ન થાય તે પ્રકારે મંદિર ટ્રસ્ટે સેનેટાઈઝેશન અને સાફ સફાઈ કરાવવાનું શરૂ કર્યું છે.
સોમનાથ મંદિર આવતી કાલથી શરૂ થશે
જિલ્લાની બહારથી આવતા લોકો માટે 12 જૂન બાદ મળશે પ્રવેશ
યાત્રાળુ દર્શાનાર્થીએ દર્શન માટે સ્લોટ બુક કરાવવો પડશે
ઉલ્લેખનીય છે કે, મંદિરે નિયમ બનાવ્યો છે કે એક કલાકમાં 300 ભક્તો જ દર્શનાર્થે જઈ શકશે. આ ઉપરાંત ગીર સોમનાથની બહાર જતા લોકોએ મંદિરની ઓનલાઈન વેબ સાઈટમાં પોતાની ટ્રાવેલ હિસ્ટ્રીની માહિતી આપવાની રહેશે.
ઓનલાઈન રજિસ્ટ્રેશન 12 જૂને કરવામાં આવશે
આ ઓનલાઈન રજિસ્ટ્રેશન 12 જૂને કરવામાં આવશે. ખાસ મહત્વની વાત એ છે કે, 65 વર્ષથી વધારે હોય તેવા વૃદ્ધને અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકને પ્રવેશ આપવામાં આવશે નહીં.
સોમનાથ મંદિરની શું વ્યવસ્થા?
સોમનાથ મહાદેવના મંદિરના દ્વાર આગામી 8 જૂને ભક્તો માટે ખુલ્લા
કેન્દ્ર, રાજ્યસરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનો ભંગ ન થાય તેની તકેદારી
મંદિર ટ્રસ્ટે સેનેટાઈઝેશન અને સાફ સફાઈ કરાવવાનું શરૂ કર્યું
1 કલાકમાં માત્ર 300 ભક્તો જ મંદિરની અંદર જઈને દર્શન કરી શકશે
ગીર સોમનાથની બહાર જતા લોકોએ મંદિરમાં ઓનલાઈન બૂકિંગ કરાવું પડશે
ઓનલાઈન રજિસ્ટ્રેશન 12 જૂને પછી શરૂ કરવામાં આવશે
65 વર્ષથી વધારે હોય તેવા વૃદ્ધ, અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકને પ્રવેશ નહીં
લોકડાઉનના અમલ પહેલા જ 19 માર્ચથી યાત્રિકો માટે પ્રતિબંધ મુકાયો હતો
કોરોનાની મહામારી વચ્ચે મંદિર ટ્રસ્ટે તમામ પ્રકારની રાખવી પડશે તકેદારી
મંદિર આવતા શ્રદ્ધાળુઓ માટે ખાસ મંડપ ઉભો કરવામાં આવશે
મુખ્ય દરવાજા પર સેનેટાઈઝરના ફુવારા લગાવવામાં આવશે
સોશ્યલ ડિસ્ટનસિંગ માટે મંદિર પરિસરમાં ગોળ સર્કલ દોરવામાં આવ્યા
યાત્રીઓ વચ્ચે 4થી 5 ફૂટનું અંતર રહે તે રીતે કુંડાળા કરવામાં આવ્યા
મંદિર પરિસરમાં માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યું ન હોય તેને પ્રવેશ નહીં
માસ્ક ન હોય તો રૂમાલ પણ બાંધી શકે છે ખુલ્લા મોઢે પ્રવેશ નહીં મળે
ભાવિકોએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે
મંદિરમાં આવેલી રેલિંગ, મૂર્તિઓ કે, ઘંટ અડવા પર મનાઈ ફરમાવી છે
દર્શનાર્થી અંદર જઈને દંડવત પ્રણામ નહીં કરી શકે
ભગવાન માટે લાવતા ગંગાજલ, બિલીપત્રો કે, ફૂલ મંદિરમાં નહીં લઈ જઈ શકાય
બહારથી કોઈપણ પ્રકારની વસ્તુ મંદિરમાં લઈ જઈ શકાશે નહીં