જુનાગઢના નવાબે ઈમરાનને અપીલ કરી કે તેઓ કાશ્મીરની જેમ જુનાગઢના દૂત બને
નવાબે કહ્યું ઈમરાન આંતરરાષ્ટ્રીય સ્તરે જુનાગઢની કથિત આઝાદીનો મુદ્દો ઉઠાવે
ISI ના ખોળામાં બેઠેલા અને જુનાગઢના કથિત નવાબ મોહમ્મદ જહાંગીર ખાંજીએ પાકિસ્તાની પીએમ ઈમરાનખાનને વિનંતી કરી કે તેમણે કાશ્મીર તરફથી જુનાગઢના દૂત બનવું જોઈએ. નવાબે કહ્યું કે ઈમરાન ખાને તમામ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના કબજામાંથી જુનાગઢની કથિત આઝાદીનો મુદ્દો ઉઠાવવામાં જોઈએ.
ઈમરાનખાન જુનાગઢના દૂત બને-નવાબ
રેડિયો પાકિસ્તાનના રિપોર્ટ અનુસાર નવાબ મોહમ્મદ જહાંગીરે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે ભારત અને પાકિસ્તાને આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ અને વાતચીત દ્વારા તેનો ઉકેલ શોધી કાઢવો જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન સરકારે જુનાગઢના મુદ્દાને એટલી જ સક્રિયતાથી ઉઠાવવો જોઈએ કે જેટલી સક્રિયતાથી તે કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે.
પાકિસ્તાને નકશામાં જુનાગઢને પોતાનું દેખાડ્યું
નવાબે કહ્યું કે જુનાગઢ પાકિસ્તાનમાં છે. આ ફક્ત જુનાગઢ રાજ્યનો નારો જ નથી પરંતુ સપનું પણ છે જે અમારા પૂર્વજ મોહમ્મદ અલી ઝીણા અને જુનાગઢના નવાબ રહેલા નવાબ મોહબત ખાને જોયું હતું. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો કે પાકિસ્તાન ભારતના જુનાગઢ પર કથિત કબજા અંગે ગંભીરતાપૂર્વક અવાજ ઉઠાવે. આ કબજો આંતરરાષ્ટ્રીય કાયદાની વિરૃદ્ધ છે.