તાજેતરમાં જુનાગઢની આલ્ફા સ્કૂલનાં સંચાલકોએ એક વિદ્યાર્થીને વિચીત્ર ધમકી આપ્યા ઘટના સામે આવી છે. માતાજીની માનતાને કારણે રાખેલ ચોટલીવાળા વિદ્યાર્થીને શાળાએ ચોટલી કપાવવા માટે જણાવ્યું હતું.
વિદ્યાર્થીના વાલીનાં જણાવ્યાં મુજબ શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીને ચોટલી કપાવ્યાં બાદ જ શાળાએ મોકલો નહીંતર ફી પાછી લઇને શાળા છોડી દો. જોકે આ અંગે શાળાનાં પ્રિન્સિપાલે એમ જણાવ્યું હતું કે અન્ય બાળકો મજાક ન કરે તે માટે આવું કહેવામાં આવ્યું હતું.
બીજી તરફ શાળાનાં ટ્રસ્ટીનાં જણાવ્યાં પ્રમાણે આવી કોઈ ઘટના જ બની નથી. મહત્વનું છે કે વિદ્યાર્થીએ પણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે પહેલાં દિવસે સોમવારે હું સ્કૂલે ગયો હતો ત્યારે સાહેબે કહ્યું હતું કે તારી ચોટલી કાપી નાખ. નહીં તો એડમીશન કેન્સલ કરવામાં આવશે.
બીજા દિવસે મારા ભાઇ ઉપર પણ ફોન આવ્યો હતો કે તમારા ભાઇની ચોટલી કપાવી નાખજો બાકી કાલે ફી લઇ જજો. આવાં શબ્દોનું ઉચ્ચારણ જૂનાગઢની આલ્ફા હાઇસ્કુલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યું છે.
તમને જાણીને નવાઇ લાગશે કે શાળા સંચાલકે વિદ્યાર્થીએ માનતાની રાખેલી ચોટલી સામે વાંધો ઉઠાવ્યો છે અને ચોટલી કપાવી નાખવાની વાત કરી છે.