બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત સામે ફરિયાદ, પોઈચા ધામ જેવો પ્રોજેક્ટ બનાવવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી
Last Updated: 04:30 PM, 16 May 2024
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત સામે સુરતમાં ફરિયાદ નોંધાઈ છે. વરાછામાં જે કે સ્વામી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, 1.34 કરોડની છેતરપિંડીની ફરિયાદને લઈ ચકચાર મચી જવા પામી છે.
ADVERTISEMENT
મહંત સામે સુરતમાં નોંધાઈ ફરિયાદ
ADVERTISEMENT
આણંદમાં પોઇચા જેવો સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ બનાવવાના બહાને છેતર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 2016માં પ્રોજેક્ટ માટે જમીનનો સોદો કરવા 1.70 કરોડ પડાવ્યા હતા તેમજ આણંદના રીંઝા ગામે નદીના કિનારે મંદિર બનાવવાની લાલચ આપી હતી. જમીન દલાલ સુરેશ ઘોરીએ ડૉક્ટરને સંત જમીન ખરીદવા માંગે છે તેવું જણાવ્યું હતું. સુરેશે જમીન બતાવી સ્વામીના ખજાનચી સ્નેહલ નામના વ્યક્તિની ઓળખાણ કરાવી હતી.
વાંચવા જેવું: ગુજરાતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી, હવામાન વિભાગની હીટવેવ સાથે કમોસમી વરસાદની આગાહી
1.34 કરોડ પરત ન કરતાં ફરિયાદ
આક્ષેપ કરાયો છે કે, 50 લાખ રૂપિયાની દલાલી સહિત 1.70 કરોડ ડૉક્ટર પાસેથી જે કે સ્વામીએ પડાવ્યા છે. ડૉક્ટરને જમીનનો દસ્તાવેજ પણ ન કરી આપ્યો અને ડૉકટરે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈ રોકાણ કર્યા હતા. ડૉક્ટરે પોલીસ કાર્યવાહી કરાવતા સમાધાન કરી 36.75 લાખ પરત કર્યા હતા અને બાકીના 1.34 કરોડ પરત ન કરતાં ફરિયાદ નોંધાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.