જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરમાં છાત્રનો આપઘાત સામે આવતા જ ચકચાર મચી ગઈ હતી.
ઉત્સવ નામના વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ છે. મૃતક વિદ્યાર્થી બગસરા તાલુકાના પીપરિયા ગામનો રહેવાસી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.